SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ ભૂલી ગયાં. દક્ષને આ ઉન્મત્ત અથવા ગાંડા ગરીબના જોડા ઉપર ગુસ્સા આવ્યા, અને પોતાને ત્યાં મેાટા યજ્ઞ કર્યાં, ત્યારે સતીને અને જમાઈ (શવ)ને નિયંત્રણ મેાકલ્યું નહિ ક્ષ (વ્યવહારમાં ડાઘા) પ્રજાપતિને પોતાની પુત્રી સતીને અને તેના કલ્યાણમય પતિ શિવને મહિમા બીલકુલ સમજાયા નહિં, અને ઉલટા અને પ્રતિ તિરસ્કાર દર્શાવ્યા. જામાતાને નિયંત્રણ કરવામાં પેાતાને હીણપદ લાગે એવા ભાવનાં વાકયા દક્ષે ઉચ્ચાર્યાં. આ વાક્યામાં પ્રત્યક્ષ નિદા અને પરાક્ષ રીતે શિવના મહિમા વેદવ્યાસે ગાયા જણાય છે: દક્ષ કહે કેઃ— શિવ મારા પિતાના કરતાં પણ ધરા છે. તેનામાં કાઈ પણ ગુણ નથી; તે ભટકતા છે; એને રહેવાનું સ્થાન નથી; તે વ્યસની હાઈ મત્ત રહે છે; તેને માનઅપમાનનુ ભાન નથી; તેને પુણ્ય અપુણ્યને અથવા શુભઅશુભના વિવેક નથી; તેને અવિદ્યાવિદ્યા સરખાં છે; તે કાઈ પણ ધર્મને માનતા નથી; તે કાઈ કર્મીનુ અનુષ્ઠાન કરતા નથી; ચંદન અને રાખાડીને સરખાં માને છે; તેને મ્લેચ્છ, બ્રાહ્મણ, કૂતરા, અને પોતાની જાત સરખી લાગે છે; સ્વગ અને સ્મશાન સરખાં ગણી ગાંડા તરીકે સ્મશાન ભૂમિમાં પડી રહે છે; દુ:ખમાં તેને સુખ ભાસે છે; સુખમાં તેને દુ:ખ લાગે છે; મરણ પછી શું થશે તેના અને ભય નથી; ક્રાઈ જાણતું નથી કે તે કઈ જ્ઞાતિના છે; તે કાને માન આપતા નથી; તેને બ્રાહ્મણ ગણી શકાય તેમ નથી, કારણ કે વૈદિક ધર્મક્રિયાની મર્યાદા બહાર છે; તેને ક્ષત્રિય કહેવાય તેમ નથી, કારણ કે તે જટાધારી અને રાખોડી ચેાળનાર છે; તેને વૈશ્ય ગણાય તેમ નથી, કારણ કે તે જમીન ખેડતા નથી અને વ્યાપાર કરતા નથી; તેને શૂદ્ર પણ ગણાય તેમ નથી, કારણ કે જૈવણિક પ્રજાની પૂજન સ્વીકારે છે; અને સાપનુ જમાઈ પહેરે છે, જ્યારે ખરા શુદ્ર પાતાની મર્યાદા પાળે છે અને જનેાઇ ધારણ કરતા નથી; તે ગૃહસ્થ નથી કારણ કે ભીખ માગી પેટ ભરે છે; તે સન્યાસી નથી, કાણુ કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035253
Book TitleShakt Sampraday
Original Sutra AuthorN/A
AuthorNarmada Devshankar Mehta
PublisherFarbas Gujarati Sabha
Publication Year1932
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy