SearchBrowseAboutContactDonate
Page Preview
Page 972
Loading...
Download File
Download File
Page Text
________________ - - પ્રમુખ તરીકે પિતાની સેવા આપી હતી સીહર મહાજન પ્રમુખ તરીકે પણ પોતે ઘણી સેવા આપી રહ્યા છે. સીહાર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હતા. તેઓશ્રી અનેક નાની મોટી સંસ્થાના ટ્રસ્ટી છે ધી બેડીયાર પિટરી વર્કસ લી. સીહેરના તેઓ ડાયરેકટર છે. અને સીહર ઇલેકટ્રિકસીટી વર્ક સ લી.ના ડાયરેકટર બોર્ડના ચેરમેન છે. માનવ સેવા તેમના જીવનમાં વણાઈ ગઈ છે. દુખીના વિસામા રૂપ છે રાજ્યના વખતમાં રાજ્ય સાથે સબંધ ખૂબ હોઈ રાજ્ય અને પ્રજા વચ્ચે સાંકળરૂપ હતા તેઓશ્રી ધર્મામા અને ઉદાર વૃત્તિના છે. તેમના પિતા કેશવલાલ પીતાંબરદાસ મહેતા ને નામે સીહારમાં બાળમંદીર બંધાવી આપ્યું છે. સીહાર એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ છે. જ્યારે સીહોરમાં દુષ્કાળ હોય ત્યારે ત્યારે સારું એવું ફંડ કરી પશુધન અને માનવ ને રાહત અપાવે છે તેઓ સૌરાષ્ટ્રનું ગૌરવ છે. આપબળે આગળ આવેલી એડનની વેહરા ત્રિપુટીને પરિચય – હિરા કામ એ વહેવાર અને સાહસિક કોમ તરીકે જાણીતી છે. સૌરાષ્ટ્રમાંથી તદન સામાન્ય અભ્યાસ કરેલા અને સાવ નાના ગામડાંઓમાં વસતા ભાઈઓ વહાણુની મુસાફરી કરી દૂર પરદેશોમાં જઈ ધંધાઓ ખેડી, પ્રતિષ્ઠા અને સંપત્તિ પ્રાપ્ત કર્યાના અનેક દ્રષ્ટાંત આજે પણ મળી આવે તેમ છે. સ્વભાવમાં રહેલી સંપતિ બાંધછોડની ભાવના દીર્ઘ દ્રષ્ટિ વહેવાર નીતિ, ન્યાય પરાયણતા વગેરે ગુણે ધરાવતા આવા દાઉદી વોહરા કામની અનેક વ્યકિતઓમાંથી એક ત્રિપુટીને પરિચય અને આપતા આનંદ થાય છે, સૌરાષ્ટ્રના અમરેલી જીલ્લામાં આવેલા બગસરા અને ચલાલા જેવા નાના ગામના સામાન્ય અભ્યાસ કરેલા સાહસિક ભાઈઓએ ખંત મહેનત અને પ્રમાણિકતાથી એડન ખાતે સ્થાપેલી અત્તરની એક પેઢીની વાત પણ મીઠી સૂવાસ જેવી મહેકતી છે. ૧૯૨૧માં શરફઅલી કમરૂદીન બગસરાવાલાએ ૨૨ વર્ષની વયે એડન જઈ ત્યાં ધંધો શરૂ કર્યો અને તેમના બે ભાઈઓ નજરઅલી કમરૂદીન તથા ફીદા હુસેન કમરૂદીને જેઓ પણું અનુક્રમે ૧૮ તથા ૧૪ વર્ષની ઉમરના હતા તેમને બગસરાથી એડન બોલાવી લીધા એ અરસામાં શીતળાની માંદગીમાં મોટાભાઈ શરફઅલીનું દખદ અવસાન થયું એટલે બાળકના પિતાશ્રી કમરૂદીન રહેમાનજી જેઓ માડાગાસ્કર હતા તેઓ એરન આવ્યા અને કમરૂદીન રહેમાનજીના નામથી ધંધો શરૂ કરી, બને ભાઈઓને કામકાજ સોંપી દઈ પતે બગસરા આવીને રહ્યા, બને ભાઈઓએ સને ૧૯૪૦ સુધી તેમના પિતાશ્રીનું મૃત્યુ થયું ત્યાં સુધી સાથે રહી બંધ કર્યો અને સને ૧૯૪૦ની આખરમાં નુરભાઈ શમશીન ચલાલાવાલાએ એક પણ પાઈની મુઠી વગર આ પેઢી સાથે ભાગીદાર તરીકે જોડાયા અને કે. આર બગસરાવાલાના નામે પેઢી રજીસ્ટર્ડ થઈ. ૧૯૪૦ થી ૧૯૪૬ સુધી લડાઈ દરમિયાન તેઓ કંઈ કામકાજ કરી શક્યા નહિ. કાળાબજાર, કે ધંધાકીય છળકપટથી હંમેશા દૂર રહેવા ત્રણેય ભાગીદારો ને સ્વભાવ હતો. અને તેના પરિક્ષામે ૧૯૪૬ સુધીમાં નાની એવી જે બચત હતી તે પણ ખર્ચમાં જ પૂરી થવા આવી લડાઈ પછી આ ભાગીદારોએ ખૂબજ વ્યવરથીત રીતે અને ચોકકસ ગણત્રીપૂર્વક અત્તરના બીઝનેસનું આયોજન કર્યું. અને સમસ્ત એડનમાં ગણનાપાત્ર પેઢીની સુવાસ ઉભી કરી. સામાન્ય પ્રગતિ થતાજ ખંત મહેનત અને આપબળથી આગળ આવેલી આ ત્રિપુટીએ સમાજસેવા પ્રતિ પોતાનું લક્ષ કેન્દ્રીત કર્યું અને ચલાલા ગામમાં વોહરા સમાજ માટે એક સરસ મજીદ બંધાવી આપી. આ પેઢીના એક ભાગીદાર ભાઈ નઝરઅલી કમરડીને બગસરા ખાતે હરા કામના કોલેજને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઑલરશીપ આપવાનું પણ એક ટ્રસ્ટ કરેલ છે અને બગસરાના જાહેર ક્ષેત્રે કેળવણી માટે રૂા. ૩૧૦૦૦ નું દાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy