SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ સતી શિરોમણી ચંદનબાળા તે મન માન્યા વિલાસે લુંટવામાં છંદગીની સફળતા નથી સમાતી; એ વાત રખે ધ્યાન બહાર થવા દેતા. આત્મશે ધન અને એ દ્વારા કષાય ચેકડી ઉપર કાબૂ–જેવા મૂળભૂત મુદ્દાને સદેવ ચક્ષસામે રાખજે. જન્મસમય આનંદકારી મનાય છે અને મરણ દુખ કર્તા લેખાય છે. એ વહેવારૂ દષ્ટિયે; આવતું સૌને ગમે પણ જતું ન પાષાય એ વહેવાર છે માટે. પણ સમજુ માટે એ માર્ગ નથી. એ તો ઉભય. સ્થિતિમાં સમભાવ ધારણ કરે. અસ્ત ને ઉદય, ચડતી અને પડતી; કિંવા જન્મ અને મૃત્યુ એ તે કાળદેવના ચક્રનાં બે પાસાં. ઉપર નીચે થયા વિના ગતિ સંભવે જ નહીં. તે પછી હર્ષ શેક ધરવાપણું કેમ હેય? કમરાજની હાકલ થતાં હસતે મુખડે વધાવી લેનાર જ સાચે સુભટ. એ જ સમજુ આત્મા. મારી પાછળ શક્તિ અનુસાર ધર્મ કરણ કરજે. રેકકળ કે શોકના ઠઠેરા જરા માત્ર ન કરતા. અજ્ઞાનતાના એવા ચાળા સમક્તિને. ન જ શોભે. કુંવરી બા, આવી ડાહી ડાહી શિખામણ આપનાર હજી જેત જેતામાં જ કપાઈ જશે એવો ખ્યાલ અમેને ન જ હેય! પણ ગઈ પરમ દિને સવારમાં તે અહંનના રટણમાં એકતાર એવા વડિલથી અમારી વચ્ચેથી સીધાવી ગયા. અમારી આંખો અશ્રુ પ્રવાહમાં વહી રહી. સંસારી હો એકદમ સ્મૃતિ કેમ ભૂલી શકે? આમ છતાં મજબૂત મન કરી, આમ જનસમૂહનો વિરોધ સહી, વડિલની સુચનાને અમલ કરી રહ્યા છીએ. એ કારણે તે ઘડીપૂર્વે વડિલની યાદ ભૂલવા . બંધુ યુગલ હાટે ગયું છે. અને મારા જેઠાણી તેમના પિયર આટા દેવા ગયા છે જ્યારે હું મારા કમરામાં જરા ઉંચુંનીચું કરવામાં લાગી છું. અહીં મરણ થયું છે એવો ખ્યાલ સરખો આગંતુકને ન આવે, એ વર્તાવ રાખ્યાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
SR No.035251
Book TitleSati Shromani Chandanbala
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherShashikant And Co
Publication Year1948
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy