________________
પ્રકરણ ૧૧ મું લીલામના બજારમાં વસુમતી
અમરરર નસીબ ચાર ડગલા આગળનું આગળ જ આવ્યું ! ભાગ્ય વિના નર કેડી ન પાવે” એ જન વાયકા મારા માટે તે સાચી જ નીવડી. હાથ આવેલ રમણ રત્ન ચાલ્યું ગયું. મારા તકદીરમાં ગૃહિણુનું સુખ નથી જણાતું. હતી તેની જોડે મેળ નહે. એ મરતાં મનમાં આશા જન્મી કે કઈ મારા સ્વભાવને અનુરૂપ જોડે છેડા ગાંઠીશ. ધારિણીને કુવાકાંઠે જોતાં જ સનેહને અંકુર ઉદ્ભવ્યો. પણ એ વેળા મરદાઈના ઘમંડમાં હું તણાય. સ્નેહને પ્રચલિત રાહ ચૂકી કેાઈ જુદી જ દિશામાં વળે.
કેવી મેહક આકૃતિ! કે નમણે ચહેરે ! હસતું મુખ ! એ પુલકિત વદન તો હજુ પણ ચક્ષુ સામેથી ખસતું પણ નથી.
રાજમહાલયના વિલાસ માણનારી એ પ્રમદાએ મને બંધવ તરિકે લેખવા હાથ લંબાવ્યો, પણ મેં મૂરખે હઠ ન છોડી.
શિયળવ્રતનો મહિમા જેની શિરાઓમાં સતત વહી રહ્યો છે એવી એ રમણી શું મારા બળાત્કારને તાબે થાય? એણે તો પ્રાણ છા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com