SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્ષિપ્ત નિર્વાણપદ પુત્ર યમરાજને ત્યાં ગયે, પણ તે યમપુરીમાં હાજર ન હતા તેથી તે ત્રણ દિવસ ભૂખ્યા તરસ્ય ઉભું રહ્યો. યમરાજ આવ્યા ત્યારે ત્રણ વરાન માગવાનું કહે છે. પહેલાં વરદાનમાં નચિકેતા કહે છે કે હું જ્યારે મારે ઘેર પાછો જાઉં ત્યારે મારા પિતા વિરમય ન પામે ને પ્રથમની જેમ જ મારી પર પ્રેમ રાખે. યમરાજે આશીવાદ આપી તેમ થશે તેમ કહ્યું. બીજા વરદાનમાં-સ્વર્ગમાં જવા માટે હવનને અગ્નિકુંડ કેમ બનાવવું તે પૂછયું ને યમરાજે તેને તે પણ સમજાવી દીધું ને વધારામાં ખેતીની એક મૂલ્યવાન માળા આપી. ત્રીજા વરદાનમાં નચિકેતા કહે છે કે—કોઈ કહે છે કે માણસ મરી ગયા પછી તેને આત્મા રહે છે ને કેટલાક કહે છે કે આત્મા રહેતા નથી. તે આ વાતમાં સત્ય શું છે તે મને સમજાવે. યમરાજે પ્રથમ તે પ્રશ્નને જવાબ કહેવાને ના પાડી, અને બીજું કંઈક માગવા કહ્યું પણ નચિકેતા એકનો બે થયે નહિ. યમરાજ તેને સ્વર્ગના સુખ આપવા તૈયાર થયા, અપ્સરા આપવા કહ્યું, ધન ધાન્ય રાજ્ય વિ. ઘાણું આપવા લલચાવ્યા પણ નચિકેતાએ તે જ માગ્યું કે જીવનું મરણ પછી શું થાય છે તે કહે. જ્યારે નચિકેતા આત્માનું શું થાય છે, તે જ માગે છે ત્યારે, યમરાજ -જગતમાં બે વસ્તુ છે. ૧-શ્રેયસ ને ૨-પ્રેયસ. પ્રથમ આત્મજ્ઞાન ને બીજી જગતસુખ. જ્ઞાની માણસે જગતસુખ ઈચ્છતા નથી, પણ આત્મસુખ ઈચ્છે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035247
Book TitleSankshipta Nirvan Pad
Original Sutra AuthorN/A
AuthorViraktanand Maharaj
PublisherViraktanand Maharaj
Publication Year1982
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy