SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ રેખાયાણદ્રિક . ભાવિ ભાખે જરૂબાને ભેદ્યા વિના તરફ ચાલી જાય તે કોઈપણ પ્રકારના દુઃખદર્દની આગાહી આપે છે. ત્યારે આરામરેખા આયુષ્યરેખાને આરપાર વીંધી નાખે છે ત્યારે રોગરંજા વધી પડી આદમી અવસાન પામે છે. હથેળીમાં દુન્યસનની રેખાની હયાતી અફલાતુન ઈશ્કબાઝ તથા બેહદ નશાબાજીનું ભાવિ ભાખે છે. આ રેખા જે આયુષ્યરેખાને ભેદ્યા વિના મણિબંધના મેદાન તરફ ચાલી જાય છે તેવી રેખા ધરાવનાર માણસની વિષયવાસના બહુ બલવત્તર હોય છે. તેને પોષણ આપવા તે દુર્વ્યસન પણ કરે છે. પરંતુ આ રેખા મણિબંધ તરફ ન જતાં જીવનરેખાને આરપાર ભેદી નાખે ને શુક્રના સદન તરફ વળે છે તેવી આકૃતિવાળો માણસ રંડીબાજી ને નશાખોરીના ઘડાને પૂરપાટ છેડી મુક્તાં પોતે દીર્ધાયુષી હોવા છતાં હાથે કરી અપાયુષી બની જંદગીને અકાળે અંત લાવે. પ્રભુપ્રેરણ. હથેળીમાં પ્રભુપ્રેરણની રેખા આરંભકાળની ચોખંડી, શોધકવૃત્તિના હાથને સંજોગસાનુકુળ નહિં હતાં તે મોટે ભાગે અન્યકેટિના હાથમાં હયાતિ ભેગવતી દષ્ટિગોચર થાય છે. આવી શ્રેણીની આકૃતિવાળા આદમીઓ ને ઓરતને ભાગ્યચકમાં છુપાઈ રહેલી ઘટનાની અદ્દભુત પ્રકારે આગાહી થવા પામે છે. આવાં નરનારીઓને નિદ્રાવસ્થામાં ભવિષ્ય ભાખતું સ્વપ્નદર્શન થાય છે. તેમજ કેટલાક પ્રસંગે તેમને ઉંઘતાં ન હોવા છતાં પણ જાગતાં સ્વપ્નમાં આવે છે. જ્યારે આ પ્રકારનો આશ્ચર્યકારક બનાવ બને છે ત્યારે તે સ્ત્રી પુરૂષને જાગૃત અવસ્થામાં પણ નિદ્રાવસ્થામાંથી આવતી આત્મશ્કરણની અન્ય અવસ્થાઓને આભાસ થાય છે. હાથની હથેળીમાં વિરાજમાન થયેલું ગુરૂમંડળ યોગક્રિયાની કુંળસિધિનું ભાવિ ભાખનારૂં ચતુર ચિહ્ન છે. તે ચોગક્રિયાઓને થયેલ, તે કે થનારે ફેલા બતાવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035238
Book TitleSamudrik Shastra
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy