SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ સુરસામુદ્રિક ભાગ્ય સ્થાન, નવામાભાગ્યસ્થાનમાં સૂર્યનારાયણ પડયા હેય, તે મનુષ્ય ધર્મ વિનાને અર્થાત નાસ્તિક નિવડે, શનિ મહારાજ પડયા હોય તે બુદ્ધિ વિનાનો જડ બને અને મંગળદેવ પડયા હોય તે દુષ્ટ સ્વભાવને, ખરાબ ખાસિયતને થાય. ચન્દ્રગ્રહ, બુધગ્રહ, શુક્રગ્રહ તથા ગુરૂમહ; એટલા ગ્રહદે પૈકી એક અથવા વિશેષ પ્રદેવો પડયા હોય, તો તે માનવી ધર્મક્રિયા કરવાવાળે થાય. રાજદ્વારસ્થાન, દશમારાજદ્વારસ્થામાં સૂર્યગ્રહ, મંગળ ગ્રહ અને શનિગ્રહ એટલા ગ્રહદેવો પૈકી એક અથવા વિશેષ ગ્રહદેવા પડયા હોય, તે તે મનુષ્ય કુકર્મી અને નઠારાં છોકરાંવાળો થાય. ચંદ્રગ્રહ પડ હેય તે સારી કીર્તિવાળો બને, શુક્રગ્રહ પડયા હોય તો શ્રીમન્ત થાય, બુધગ્રહ પડયો હોય તે સ્વરૂપવાન બને અને ગુરૂગ્રહ પડયો હોય તે શુભકર્મ કરનાર નિવડે. આ સ્થાન પિતાનું સુખ નિહાળવા માટે પણ છે. લાક્ષસ્થાન, અગિયારમા લાભસ્થાનમાં સુર્યભગવાન પડયા હોય તે મનુષ્ય રાજદ્વારસ્થાનમાંથી લાશ લેનારે થાય, ચન્દ્રમા પડયા હોય તે ધનવાન બને, મંગળ મહારાજ પડયા હોય તે રાજવી સમાન ગણાય, બુધદેવ પડયા હોય તે વિવેકી, શિષ્ટ, સભ્ય અને સૈન્દર્યવાન થાય, ગુરૂદેવતા પડયા હોય તે સંપત્તિશાળી તથા દીઘાયુષી બને, શુકદેવ પડયા હોય તે સુજ્ઞ ગુણવાન થાય અને શનિ મહારાજ પડયા હોય તે કીર્તિમાન બને. વ્યયસ્થાન, બારમા વ્યયસ્થાનમાં સૂર્યનારાયણ પડેલા હોય તે મનુષ્ય વિરોધી વૃતિનો બને તથા નેત્રને રોગી થાય. ચન્દ્રમાં પડયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035238
Book TitleSamudrik Shastra
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy