SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૩ જું श्री अवंती पार्श्वनाथनुं प्रकटीकरण એકડા શ્રી સિદ્ધસેન દિવાકરજીને વિચાર ઉદભવ્યો કે તીર્થકર ભગવંતોએ અર્થરૂપે પ્રરૂપેલાં અને પૂજ્ય ગણધર ભગવંતોએ સૂત્રરૂપે અર્ધમાગધી ભાષામાં ગુંથેલા આગમોને સંસ્કૃત ભાષામાં બનાવી દઉં તે, તે ભાગમેનું કેટલું બધું મહત્ત વધે? આ કાર્ય સંધની અનુમતિ લઈને કરાય તે સાર્ડ, એમ વિચારી સંધ સમક્ષ સિદ્ધસેન દિવાકરે પિતાના વિચારો જણાવ્યા કે-આપણા પરમ પવિત્ર આગમ પ્રાકૃત ભાષામાં છે તેને પૂર્વોત્તરગત “ ન વસારાવાણાથરવારઃ 'ની માફક સંરકૃતમાં કરી નાખવાની મારી ભાવના છે. હું આ માટે શ્રીસંધની અનુમતિ ચાહું છું. સિદ્ધસેનજીનું આ કથન સાંભળી શ્રમણુસંધ એકદમ ચેકી ઊઠે. લેલામણ ઉશ્કેરાઈ ગઈ અને દિવાકરજી પ્રત્યે સૌને અણુગમો ઉત્પન્ન થશે અને તેમને સ્પષ્ટ સંભળાવી દીધું કે: દિવાકરજી આપના આ વિચારો સાથે અમે લેશમાત્ર સમ્મત થતા નથી. આ અકર્તવ્ય વિચારને આપના અંતઃકરણમાં સ્થાન આપી આપે તીર્થકર ભગવતેની, ગણુધારાની અને જિનપ્રવચનની ઘેર આશાતના કરી છે. તીર્થકર ભગવંતે અને ગણધરાદિએ જે કાંઈ કર્યું છે તે ઉચિત જ કર્યું છે. તેમાં એક અક્ષર ૫ણ આ૫ણાથી ફેરફાર થઈ શકે નહીં. આપના આ વિચારથી અમને બહુ જ ખેદ થાય છે. આપના જેવા આવું કરશે તે ભવિધ્યમાં બીજા પણ આનું અનુકરણ કરશે, માટે આ બાબતનું આપને મોટું પ્રાયશ્ચિત કરવું પડશે. અને તે માટે શાસ્ત્રાનુસાર આ૫ “સંધનાથ'ની મોટી શિક્ષાને પાત્ર થયા છે. સંધનું આવું વક્તવ્ય સાંભળી સિહસેનસૂરિ તે આભા જ બની ગયા. પિતાના સરલ વિચારથી પણ સંધને આટલી બધી અપ્રીતિ થઈ, તેથી તેમને બહુ દુખ થયું. તેમણે સંધ સમક્ષ ક્ષમાપ્રાર્થના કરી અને જે પ્રાયશ્ચિત આપે તે સ્વીકારવા હું તૈયાર છું' એમ જણાવ્યું. સંધે સ્થવિરને પૂછ્યું કે આનું શું પ્રાયશ્ચિત હોઈ શકે? સ્થવિરે જણાવ્યું કે-જે બાર વર્ષ સુધી અને ત્યાગ કરી, ગુપ્ત જેનલિગે રહી, દુકર તપ તપે-, એ પારાંચિક પ્રાયશ્ચિત્તથી જ મહાદેષથી દૂષિત થયેલ એવા આ મુનિવર શુદ્ધ થાય તેમ છે, બીજી રીતે તે નહીં જ. એમાં એટલે અપવાદ છે કે તે દરમ્યાનમાં જે શાસનની કોઈ મહાન પ્રભાવના કરે તે તેટલાં વર્ષની બંદર ૫ પિતાનું પદ પામી શો, સિદ્ધસેન દિવાકરે આ પ્રાયશ્ચિતને સ્વીકાર કર્યો, અને સંવની મનના હાઈ સાવિશિરોમણિ સિદ્ધસેન ગઠનો ત્યાગ કરી પ્રાયશ્ચિત્તની પૂર્ણાહુતિ કરવા ત્યાંથી ગ્રસ્તવેશમાં ચાલી નીકળ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035237
Book TitleSamrat Vikramaditya Yane Avantino Suvarna Yug
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1947
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy