SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ : ૭૮ : સાંભળશે તે તાત્કાલિક મૃત્યુને વશ થશે. ગભી વિદ્યાના અવાજ ત્રણ કાશ સુધી પથરાઈ જાય છે. એટલે તેટલા વિસ્તારમાં રહેતી દરેક વ્યક્તિ તેની અસર નીચે આવી મૃત્યુને વશ થાય છે. સૂરીશ્વરનું આવુ' ભયકર કથન સાંભળી શાહી સરદાર અને સેનાધિપતિ ગભરાટમાં પડ્યા એટલે આચાય - દેવે સવેને શાંતિ આપતાં જણાવ્યુ' કે-આ જ ક્ષણે સૈન્યના પડાવ અહીંથી ઉપડાવી પાંચ કાશ દૂર લઈ જાવ. ૧૦૮ શબ્દવેધી ખાણાવળીએ આમ્લાટની સરદારી નીચે જે મેરચા ઉપર ગધવસેન રાજવી દેવીની સાધના કરી રહ્યો છે ત્યાં ઊંચા માંચડા ખાંધી દેવીની સાધનાની નિષ્ફળતા માટે રાખેા. આ પ્રમાણેના હુકમની આપલે અને છણાવટ રાજ્ય તંબૂમાં થઈ રહી છે તેટલામાં તે જ્ઞાની સૂરીશ્વરજીના જ્ઞાનના-ભવિષ્યની વાણીના સાક્ષીભૂત હોય તેમ ગુપ્ત જાસુસે દ્વારા બધિત થએલ ચાર કેદીઓ હાજર કરવામાં આવ્યા. આ ચારે બંધનયુક્ત કેદીએ તરફ નજર ફેરવતાં શ્રી કાલિકાચાય જીએ જણાવ્યું કે “કેમ શ્રેષ્ઠીવય ? અને શેઠાણી. જી! આપની આ સ્થિતિ ? એવા તે કયા ગ'ભીર કારણે મહારાજાને બચાવવા માટે ખૂદ માલવના નગરશેઠના કુટુ'એ મધ્યરાત્રે મરણને નાંતરી આ પુરૂષાર્થી પ્રયાગ આદર્યો છે ? ’ મધ્યરાત્રીના સમયે યવન રાજની છાવણીમાં પરમ પૂજય આચાર્ય દેવને નિહાળતાં અને તેમના મુખથી જ આ પ્રમાણેના પ્રશ્નોને સાંભળી પકડાએલ વ્યક્તિઓમાંથી નગરશેઠના પુત્રની યુવાન વહુએ જશુાવ્યુ` કે “ સૂરિશ્રી ! ** Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ સમ્રાટ્ અમે અમારા જીવનના રક્ષણાર્થે ભવિષ્યના વિચાર કરી મધ્યરાત્રિએ અવન્તીનેા ત્યાગ એટલા માટે કીધે છે કે ચૌદશની પ્રભાતે જ મહારાજા ગંધવ સેનની ત્રણ દિવસની ગલી વિદ્યાની સાધના પૂરી થવાની છે અને તે દિવસે પ્રસન્ન થએલ ગભીદેવીના પ્રતાપે પાંચ કેશ સુધી રહેલ દરેક વ્યક્તિના કચ્ચર ઘા ણ નીકળી જવાના છે. અવન્તીને ઘેરી રહેલ આ સૈન્યમાંની એકાદ વ્યક્તિ પશુ આ ઘેરનાદથી ખેંચી શકે એમ નથી, તા પછી મારા જેવી ગભવ'તી સ્ત્રીઓનું રક્ષણ કઇ રીતે થઈ શકે ? માટે ગર્ભના રક્ષણાથે અને કુટુ વૃદ્ધિને માટે મે' જ આ પગલુ ભરાવ્યુ છે. ” આ પ્રમાણે જ્ઞાની સૂરીશ્વરજીના ભવિષ્યને પુષ્ટિરૂપ નજર સામે તરી આવતા આ ઢેખાવ જોઈ શહી નરેશ ચણુ અને આમ્લાટ આચાર્યના જ્યાતિષ જ્ઞાન સંબધી વિસ્મય બન્યા. સન્યા પડાવ પાંચ કાશ દૂર લઈ જવામાં આવ્યે. બીજી બાજુએ ત્રંબાવટી દરવાજાના ઊંચા ગુંબજ સામે એક ધ્યાને માં ફાડી તપશ્ર્ચર્યો કરતાં ગંધવ સેન રાજવીની ખરાખર સામે એક ઊંચા માંચડા બાંધવામાં આવ્યા કે જે માંચડા ઉ૫૨ ૧૦૮ શબ્દવેધી ખાણાવળીઓને ચારે દિશામાં એવી રીતે ગોઠવવામાં આવ્યા કે જ્યારે ગભી દેવી પ્રસન્ન થતાં ભાંક વાની તૈયારી કરે કે તે જ સમયે તેવુ' માં માણેાથી એવી રીતે ભરી દેવું કે તેનાથી એક પણ શબ્દના અવાજ થઈ શકે નહિ. ખીજી ખાજી લશ્કરી ચુનંદા સૈન્યને ત્રમવટી દરવાજે પૂરતી રીતે ગાઠવવામાં આવ્યુ". www.umaragyanbhandar.com
SR No.035237
Book TitleSamrat Vikramaditya Yane Avantino Suvarna Yug
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1947
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy