SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ સામાય રહસ્ય હતી માટે આપણને એટલા લાડકવાયા ગણ્યા છે કે આપણે ધીમે ધીમે કરતાં કરતાં ઊંચા આવીએ તે પણ સ્વીકાર થાય. જ્યારે દેશવિરતિ આપણે ગ્રહણ કર્યું હોય તે આપણું સ્થાન પાંચમે ગુણઠાણે ગણાય છે. ત્યારે સર્વવિરતિવાલાનું છ ગુણઠાણે હોય છે. આપણું પાંચમું ગુણઠાણું તે ઉત્તરોત્તર વૃદ્ધિ પામતું રહે અને આગલના પગથિયે ચઢવાની ભાવના થતી રહે તે માટે આપણને ઘણા પ્રકારના ગો બતાવવામાં આવ્યા છે. જેની જેવી ભાવના હોય તેવા યે સ્વીકારી અંતે દેશવિરતિમાં આવી જાય. આવી યેજના આપણે માટે નિર્માણ કરેલી છે, અને લલચાવ્યા પણ છે કે થોડું કરે પણ જેવી રીતે એક રાજા પિતાના દેશ ઉપર રાજ્ય કરતે હોય તે, દેશ ઉપર કેઈક ઘડે માટે રાજા તરીકે સ્થાપન કરે અને તે સમજો બુદ્ધિમાન હોય તે ઘડીકના રાજમાં તે જિંદગીને લહાવો લઈ નિહાલ થઈ શકે. અનઘડ અને અણસમજુ નિબંધ હોય તે શું કરું? કેમ કરું? હવે શું થશે? વિચારમાં રહેતાં ઘડી પૂરો થાય છે અને અસલ રાજા આવીને ઊભું રહે છે, ત્યારે ખાલી હાથે ઘેર જતાં પશ્ચાત્તાપ થાય છે. એવી દશા આવતાં સાવધાન રહેવા ભગવને સૂત્ર સંભલાવી દીધું કે જેવી રીતે ઘડીક માટે નિમાયેલ રાજા પણ રાજા જેવો જ હોય છે તે પ્રમાણે દેશવિતિ સામાયક અંગીકાર કરતાં પણ તમે “મળે ન રાહ ” અર્થાત સામાયક લીધેલા કાલમાં શ્રાવક સાધુ જેવું જ હોય છે. એ પદ કંઈ ઓછું નથી. ભગવંત સવવિરતિ સામાયકના કારણે શ્રમણ ભગવંત તરીકે પ્રસિદ્ધિ પામ્યા અને તેવું જ પદ આપણને માટે પણ કહી પદસ્થ કરવામાં આવે છે એ કદર કંઈ ઓછી ન કરી. ભગવતે આપણું ઉદ્ધાર માટે પિતામાં ભેળવવા એ યુક્તિ અનુપમ કાઢી છે. અને પિતે જે અંગીકાર કર્યું છે તેમાં આવવા માટે એક અખંડ પગથિયું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035232
Book TitleSamayak Rahasya
Original Sutra AuthorN/A
AuthorChandanmal Nagori
PublisherDeshvirati Dharmsadhak Samaj
Publication Year1947
Total Pages48
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy