SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકનું નિવેદન. સાહિત્ય એ જીવનને માદા છે. જે સાહિત્ય હૃદયની લાગણી અને જગના સૂક્ષ્મ અનુભવ પછી જન્મે છે, તે અનેકનુ કલ્યાણ કરવામાં સહાયભૂત થાય છે. આજે આવા સાચા સાહિત્યની જગત્ને ભૂખ ઉઘડી છે. તે, કેઈપણ જાતના ધાર્મિક કે સામ્પ્રદાયિક અભિનિવેશ સિવાયના, પરન્તુ જગની કુચી સમજાવતા સાહિત્યને ઝંખી રહ્યું છે. આવા સાહિત્યનું સર્જન ક્યાં છે ? અમારી ગ્રંથમાળા આવી જાતના સાહિત્યને જનસમાજ સમક્ષ રજુ કરવાના મનેરથા સેવી રહી છે. અને અમને જણાવતાં હર્ષ થાય છે કે ટુંક સમયમાંજ એણે જનતાસમક્ષ ૧૩ પુસ્તકો ધરી દીધાં છે અને ચૌદમું પુષ્પ મુનિરાજશ્રી વિધાવિજયની કૃતિનું આ ધરાય છે. મુનિરાજશ્રી વિદ્યાવિજયજી જૈન જગતના એક સ્વતંત્ર અને સુધારક વિચારવાળા સમયનુ લેખક અને વક્તા છે, એ જણાવવાની હવે ભાગ્યેજ જરૂર રહે છે. એમના કેટલાયે ગ્રંથાએ સમાજમાં જે આદર મેળવ્યા છે, એ કેથી અજાણ્યુ' નથી. ‘સમયને આળખા ’ નામના પુસ્તકને ૧ લે। ભાગ થોડા વખત ઉપર બહાર પડેલો, તેની પહેલી આવૃત્તિ પછી, અમારે તેની ખીજી આવૃત્તિ પણ બહાર પાડવી પડી છે, અને ‘ સમયને એળખા'ના બીજો ભાગ પણ અમે જનતાની સમક્ષ મૂકીએ છીએ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035231
Book TitleSamayne Olkho Part 02
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1934
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy