SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ અને સમાજ પર સમયનો પ્રભાવ. મુખથી સાહેબજી, નમસ્કાર, પ્રણામથી ઇતીશ્રી આવી ગઈ છે. સમયને પ્રભાવ કેટલે ! સમયે મનુષ્યના રીતરીવાજે ઉપર કેટલી અસર કરી છે. પહેલાં જેનધર્મ કેઈ પણ વર્ણાશ્રમી પાળી શક્ત હતો. અર્થાત્ બ્રાહ્મણ, ક્ષત્રીય, વૈશ્ય કે શુદ્ર ચારે વણે જેનધર્મની શીતળ છાયામાં બેસતા. કાળક્રમે આજે વૈશ્યાના હાથમાં જ જેનધર્મ રહ્યો અને તેમાં પણ ખાસ કરીને ગણ્યા ગાંચા ઓસવાળ, પિરવાડ, પલ્લીવાળ, શ્રીમાળ આદિમાં જ. આવી જ રીતે વેષમાં પણ કેટલે ફેરફાર. પ્રાચીન જમાનાનાં જાડાં ધોતીયાં, અંગરખાં અને કસ બાંધવાની બંડીઓ આજે કયાં દેખાય છે? આજે તે કેટ, પાટલુન, ટાઈ, કેલર અને બેંગલર કેપ અથવા યુરોપીયન ટેપી એ સગૃહસ્થનું ભૂષણ થઈ પડ્યું છે. આ ઉપરાંત પ્રાંત પ્રાંતની, જુદી જુદી કમેની, જુદી જુદી રૂઢિઓમાં આકાશપાતાળનું અંતર થઈ પડયું છે. આ રૂઢિઓ સંબંધી લંબાણથી વિવેચન “સમયને ઓળખ”ના પહેલા ભાગમાં “રૂઢી અને ધર્મ” નામના લેખમાં કર્યું છે. એટલે તેની પુનરૂક્તિ કરવા અહીં ઈચછત નથી. અહીં માત્ર મારે એ જ બતાવવાને ઉદ્દેશ છે કે સમયને પ્રભાવ સામાજિક અને ધાર્મિક રીતરીવાજે તેમ જ કિયાઓ ઉપર નિરંતર પડતે આવ્યા છે, અને પડ્યા જ કરે છે. આપણે મુખથી માત્ર બક્યા કરીએ કે “સમય ૨૩૩ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.035231
Book TitleSamayne Olkho Part 02
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1934
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy