SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ અને સમાજ પર સમયને પ્રભાવ પ્રભાવ એ કુદરતી છે. કુદરતના આ નિયમની હામે થઈને કઈ એમ કહે કે નહિં “અમે સમય-અમયને કંઈ માનતા નથી. જેટલું પુરાણું છે તેટલું જ સાચું છે, અને તેજ અનુસાર ચાલવું જોઈએ,” તે તે કેવળ કથન માત્ર કિવા વ્યર્થ પ્રલાપ છે. આ સંસારની એક પણ વ્યક્તિ સમયને આધીન થયા વિના રહી શકી નથી અને રહી શકે તેમ પણું નથી. જેઓ ઉપર્યુક્ત કથન કળે છે, તેઓ પોતે પણ ઘણું જુનું છેડી ચુક્યા છે અને નવું આદરતાજ રહે છે. વ્યવહારની બાબતને તે બાજુ ઉપર મૂકીએ. ધર્મશાસ્ત્રોની રચના પણ સમયને અવલંબીને જ થાય છે. એ ધર્મશાસ્ત્રોનું હા તપાસવામાં આવે તે જરૂર માલૂમ પડે કે એમાં પણ સમયને પ્રભાવ” અવશ્ય રહેલું છે, બલ્ક તે શાસ્ત્રોપ્રાચીનમાં પ્રાચીન ગણાતાં શાસ્ત્રો પણ સમયને ઓળખવાને સંદેશ સૌને પહોંચાડે છે. ઉપર કહેવામાં આવ્યું તેમ “સમયને પ્રભાવ” ન કેવળ વ્યવહારિક બાબત પર પડે છે, બલ્ક યાવત્ સંસારની સમસ્ત વસ્તુઓ ઉપર પડે છે. દેશે, શહેરે, ગ્રામ અને ઘરની રચનાઓનાં પ્રાચીન વર્ણન વાંચે અને આધુનિક દેશે, શહેરે, ગામે અને ઘરની રચનાઓ નિહાળો, કેટલું બધું અંતર જણાય છે? પ્રાચીન મનુષ્યની વેષભૂષામાં અને અત્યારની વેષભૂષામાં કેટલા બધે તફાવત પડી ગયા છે? આજે પ્રાચીનતાને પકડી રાખવા સમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035231
Book TitleSamayne Olkho Part 02
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1934
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy