SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ સમયને ઓળખે. આશા કેઈએ ન જ રાખવી. આજે ઠરાવે કેણ નથી કરતું ? ઠરામાં કે ભાષણમાં એટલી બધી અનવસ્થા થઈ ગઈ છે કે જાણે એની કંઈ કિંમ્મત જ નથી રહી. ઠરાવની હારમાળાઓ, એટલે જાણે આખા ગામની ભેંસો આપી દીધાનું ફારસ. કે પક્ષ ઠરાવો નથી કરતા? કયા પક્ષના ઠરાવને ડી કે મોટી સંખ્યામાં અનુમંદનારા નથી મળતા ? ખરી વાત એ છે કે, વાસ્તવિક પ્રયત્નથી લેકમત કેળવવાની જરૂર છે. જો કે સભાઓ ભરવી, ઠરાવ કરવા, એ પણ લેકમત કેળવવાનું એક સાધન જરૂર છે. પરંતુ તેની સાથે સમાજના મુખ્ય જે અંગમાં આપણે સુધારા કરવા માગીએ છીએ, એ અંગની જેટલી બની શકે તેટલા અંશે સહાનુભુતિ વધારવા પ્રયત્ન કરવાની જરૂર છે. ઉદાહરણ તરીકે, યુવકે દીક્ષા સંબંધી નિયમો ઘડે, અને તે નિયમોનાં કાગળીયાં મુંબઈના બજારમાં કે થોડાં ઘણાં બહાર પણ ફેલાવે. મારા નમ્ર મત પ્રમાણે તે એવા નિયમો ઘડવામાં કંઈ પણ સાર્થકતા નથી. ખરી વાત તો એ છે કે-જે સાધુઓ ઉદાર વિચારતા હોય, જેઓ સમયને ઓળખીને દીક્ષા આદિની પ્રવૃત્તિના હિમાયતી હોય, તેઓનું સંગઠન અથવા સમેલન કરાવવાની સૌથી પહેલી તકે જરૂર છે. તે સાધુઓ જ પોતે પોતાનું સંગઠન કરીને “દીક્ષા કે એવી બીજી પણ આવશ્યકીય બાબતેના નિયમ–એક બીજાની સાથેના પરામર્શ પૂર્વક બનાવે તે તે નિયમને અમલ જલદી થઈ શકે. ભલે પ્રારંભમાં આવા ઉદાર વિચારના સાધુઓની સંખ્યા અપજ હોય. કંઈ હરક્ત નહિં. ધીરે ૨૧૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035231
Book TitleSamayne Olkho Part 02
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1934
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy