________________
વિવેક વિનાની ક્રિયાઓ. શેઠ ભોજન કરતે અને ટાઢથી દાંત કળકળાવતે શું જવાબ આપે ? એ કલ્પવું કઠિન છે કે ? મને લાગે છે કે એમ જ જવાબ આપે કે-“શેઠ, તમારી ભક્તિ તે ઘણીયે છે, પરંતુ મારે જીવ કહે છે કે આ શરીરમાંથી હજુ સુધી નીકળતું નથી.” | સામાજિક, વ્યાવહારિક કે ધાર્મિક કેઈ પણ ક્રિયા જે વિવેક વિના–સમયને ઓળખ્યા વિના કરવામાં આવે છે તેનું પરિણામ આ સિવાય બીજું શું હોઈ શકે ? વિવેક વિનાની ભક્તિ કરનારે ગામડી વાણી ભલે પિતાના મનમાં ફૂલાય, હર્ષ થેલે થાય, પરંતુ તેની ભક્તિનું પરિણામ શું ? જેની ભક્તિ તે કરી રહ્યો છે, તેને તે એ ભક્તિથી શું દુઃખ થઈ રહ્યું છે, એનું તો એ બિચારાને ભાને ય નથી. આવી જ રીતે એક પતિભક્તા બે પત્નિઓ પતિની ભકિત સારી રીતે કરવા માટે પતિને એક એક પગ વહેંચી લે, અને વખતે એક પગ બીઝના માંગી લીધેલા પગ ઉપર મૂકાઇ જાય, તે તે એક દડે લઈ તે પગની પૂજા (!) કરે, ત્યારે શું આ ભકિત વ્યાજબી ગણાય કે ? કઈ કહી શકશે કે આ ભક્તિમાં વિનય છે ! આત્મા છે ?
આવી જ સ્થિતિ આપણી તીર્થભક્તિમાં નથી શું ? કવેતામ્બર અને દિગમ્બર-બને ભાઈઓ તીર્થકરની ભકિતના બહાને આપસમાં લટે છે. તીર્થકરોની કેટલી કેટલી આશાતનાઓ-અપમાન કરી રહ્યા છે, એ કેઈથી અજાણ્યું છે કે ? ત્યારે શું આ ભક્તિ છે ? આત્માવાળી વ્યક્તિ છે કે ?
આવી જ રીતે આપણી પ્રત્યેક ધાર્મિક ક્રિયાઓનું બારીકાઈથી અવલોકન કરવામાં આવે તે આપણને જણાશે કે આપણી તે તે ધાર્મિક ક્રિયાઓમાં આપણે કેટલો વિવેક બેઈ બેસીએ છીએ.
દાખલા તરીકે ભગવાનની પૂજા આરતી વિગેરે ક્રિયાઓ
શું વિનય છે તે આપણે તેના ભાવ
૨૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com