SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ સમયને ઓળખો. ત્યારે શું કરવું ? એ વિચાર આપણને જરૂર ઉઠે છે. કરવું માત્ર એજ કે જેમાં “અતિ ” ન હોય, સમચિત પ્રયત્ન દ્વારા સંસ્થાઓ ચલાવવી; એજ એ સંસ્થાઓ અને સમાજના કલ્યાણને માર્ગ છે. સારા ગૃહસ્થ ડેપ્યુટેશન દ્વારા સમાજને અપીલ કરી શકાય છે. સંસ્થાના કાર્યના સાચા રિપોર્ટો-સાચી હકીકતે વર્તમાનપત્રો દ્વારા પ્રકટ કરીને સમાજનું ધ્યાય આકર્ષી શકાય છે, પરંતુ એવો તે એક પણ પ્રયત્ન ન થવો જોઈએ કે જેની અસર સમાજ ઉપર ખરાબ થાય અને તેની સાથે એ બાળકે ઉપર પણ જુદીજ અસર થાય. અવ્વલમાં તે માંગણવૃત્તિનું સાધનજ નહિં ઇચ્છવા ગ્ય છે તેમ છતાં કાળના પ્રભાવે જ્યારે સમાજના લક્ષ્મીપુત્ર કેળવણીનું મહત્ત્વ નથી સમજી શક્યા, અને ઉદાર પુરૂષની ઉદારતામાં વિવેકને અભાવજ દેખાય છે, તેવી સ્થિતિમાં માગ્યા સિવાય કઈ આપતું નથી, એ વાત ખરી છે. પરંતુ માંગવું એ એવી રીતે માંગવું જોઈએ કે જેમાં મયદાનું ઉલ્લંઘન ન થાય, અને જેને માટે માંગ-, વામાં આવતું હોય, એમના આત્માને દુર્ભાવ ઉત્પન્ન કરનારૂ ન નીવડે. ખરી રીતે જોઈએ તો આજે સમાજની કમનસીબીના દિવસો છે, નહિં તે જે સમાજના હજારે બાળકે અશિક્ષિત હય, જે સમાજમાં હજારે યુવકે સાધનના અભાવે શિક્ષાથી વિમુખ થતા હોય, જે સમાજથી પ્રતિવર્ષ સેંકડે માણસે કેવળ શિક્ષા કે પિટપિષણની લાલચથી પરધર્મમાં જતા હોય, જે સમાજના સેંકડો ઐતિહાસિક સ્થાને નષ્ટ ભ્રષ્ટ થતાં હેય, અને જે સમાજની અનેક સંસ્થાએ કેવળ પૈસાના અભાવે આગળ ન વધી શકતી હેય, એ સમાજના ધનાઢયેન-લક્ષ્મીપુને લાખના ખરચે ઉત્સવ ઇ૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035230
Book TitleSamayne Olkho Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1934
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy