SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષા. આપણે પૂજાઈએ છીએ જે પરમાત્માના વેષ ઉપર આપણે તાગડ ધિન્ના કરીએ છીએ અને જે પરમાત્માના શાસનનું ધૂંસરું આપણે લઈને ફરીએ છીએ, એ પરમાત્માની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું, એ પરમાત્માના શાસનની આપણા સ્વાર્થની ખાતર નિંદા કરાવીએ, એના જેવું દ્રોહીપણું બીજું શું હોઈ શકે ? ધ્યાનમાં રાખવું જોઈએ છે કે બુદ્ધિવાદના આ જમાનામાં અંધાધુંધી ચાલી શકે તેમ નથી. ગૃહસ્થ કે સાધુ, હાના કે મોટા ગરીબ કે તવંગર, દરેકે સંયોગને વિચાર કરીને, પરિસ્થિતિ જોઈને કાર્ય કરવાની જરૂર છે, પરિસ્થિતિને જોયા વિના સત્તાના મદમાં કે મારે ન પૂછવાજા હૈ ? એવા અભિમાનથી સ્વછંદતા ભર્યું કાર્ય કરવું છે. એ પિતાની ઈજજતના હાથે કરીને કાંકરા કરવા બરાબર છે. જૈન સાધુઓની-ખાસ કરીને “ ભાગવતી દીક્ષા ” ના નામે ધમાલ કરી મૂકનારાઓની અત્યારે જે દશા થઇ રહી છે, તે દશા કદિ ન આવત, જે સમાજની નાડ તપાસીને પિતાના બાહ્યુસ્વાર્થની ખાતર ધર્મને નામે ઢકેસલે ન ચલાવ્યો હોત. હજુ પણ અમારા મુનિવરેએ ચેતવાની જરૂર છે. મુનિવરેને તે દેખીનેજ, જેનારના અંતઃકરણમાં પ્રભાવ પડવો જોઈએ. મુનિરાજ તે જ્યાં જાય ત્યાં શાન્તિનું જ વાતાવરણ ફેલાય, મુનિરાજ જ્યાં જાય ત્યાં સંપનેજ વધારે, મુનિરાજને દેખતાની સાથેજ લેકનું હૃદય નમી પડે. ભાગવતી “ દીક્ષા ” નો તો આ પ્રભાવ હોય, ભાગવતી દીક્ષાને તે આટલો પ્રતાપ હેય. અહા કેટલી ઉત્તમ ભાગવતી દીક્ષા, કેણ હીનભાગી આ દીક્ષાની ચાહના ન કરે ! વાચકે ! “દીક્ષા' ના સંબંધમાં છેલ્લા પાંચ અકેમાં મેં 15. ૨૨૫ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.035230
Book TitleSamayne Olkho Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1934
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy