SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ સમયને ઓળખો. યન કરવા સાથે સાયું ગુરૂત્વ પ્રાપ્ત કરે તે જગતનું કેટલું કલ્યાણ કરે. ૨૦ જુર્વજ્ઞાતિ૬પ –અર્થાત પિતાના ગુરૂની અનુજ્ઞાથી જેણે “ગુરૂ ' પદ મેળવ્યું છે. મતલબ કે જેનામાં પિતાના ગુરૂએ-ગચ્છનાયકે ગુરૂ પદની ગ્યતા અર્પે છે. ઉપરના ગુણોનું સ્થૂલ બુદ્ધિથી અવલોકન કરનાર પણ જોઈ શકશે કે “ ગુરૂ” બનવાનું “ મહત્ત્વ ' શાસ્ત્રકારોએ એક એવરજ પ્રકારે વર્ણવ્યું છે. અર્થાત “ ગુરૂ” બનવું એ જેમ આજકાલના સમયમાં બાળકોને ખેલ થઈ પડે છે, તેવું નથી. ગુરૂ બનવા માટે અતિ યોગ્યતા પ્રાપ્ત કરવાની જરૂર છે. કદાચ એમ કહેવામાં આવે કે આટલા બધા ગુણો અત્યારના સમયમાં કેમ હોઈ શકે? તે પણ, એ તે દરેકે કબૂલ કરવું જ જોઈએ કે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ પ્રમાણે આ બધા નહિં તે આમાંના ઘણાખરા ગુણ તે ગુરૂ બનનારમાં જોઈએ જ, અને જ્યાં સુધી “ગુરૂવ” ગુણોથી નથી મેળવ્યું ત્યાં સુધી માત્ર શિષ્ય” કરીને ગુરૂત્વ-નામ માત્રનું ગુરુત્વ મેળવવું, એને અર્થ કંઈજ નથી. જેઓ ગુણેથી ગુરુત્વ મેળવીને પછી “ શિષ્ય ના ગુરૂ બને છે, તેઓ જ એક સાચા ગુરૂ તરીકે પિતાની ફરજ સમજી શકે છે. અને એ ફરજેને બજાવવા રાતદિવસ સચેષ્ટ રહે છે. પિતાનામાં ગુણ ન હોય અને પછી ચેલાચાપટ કરવાથી લેકિને પણ નાના પ્રકારની વાત કરવાના પ્રસંગ મળે છે, અને તેથી શાસનની પણ અપભ્રાજના સિવાય બીજું શું હોઈ શકે? અએવ શાસનપ્રેમી મુનિરાજેએ શિષ્ય કરવા અગાઉ પોતાનામાં “ગુરૂ ના કેટલા ગુણ છે, એને વિચાર કરી, એ ગુણો જે પિતામાં ન હોય તે તે ગુણો પ્રાપ્ત કરીને જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035230
Book TitleSamayne Olkho Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1934
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy