SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષા. સાધુધર્મને રાત દિવસ વિચાર કરતા હોય તે આ પ્રમાણે લેકને “અશ્રદ્ધા ના–ધ્રુણા ના કારણભૂત કયારે પણ થઈ શકે નહિ. પરંતુ જ્યાં પોતે જ પોતાનું પગથિયું ચૂકતા હોય, ત્યાં બીજાઓને દેષ કાઢવો, એ નિરર્થક છે. દીક્ષિત-આદર્શ ગણાતા પુરૂષોનાત્યાગી પુરૂષોના-પિતાના ધર્મથી ચુત થવાથી જગતના મનુષ્ય ઉપર કેટલી બુરી અસર થાય છે, એને વિચાર સ્વયં એ મહાપુરૂષોએ કરવો ઘટે છે. ભૂલવું જોઇતું નથી કે સાધુધર્મ એ એક સ્વચ્છ-કપડા જેવો છે. સફેદ કપડા ઉપર પડેલો ડાધ જલદી નજર આગળ આવે છે અને તેટલાજ માટે સાધુઓને-દીક્ષિતેને જગતના આદર્શ સમજવામાં આવે છે. આ સાધુઓનું ધર્મભ્રષ્ટ થવું બીજાઓને અધર્મ પમાડવાના કારણભૂત થાય છે. અને બીજાને અધર્મ પમાડવો એના જેવું અધર્મ કાર્ય બીજું કયું હોઈ શકે ? વૃદ્ધ પુરૂષોનું વચન છે કે “ સે માણસ ધમ ન પામે, એની દરકાર નથી, પણ એક માણસ અધર્મ પામવો ન જોઈએ. ” બિલકુલ સાચું છે. આપણાથી કોઈ ધર્મ ન પામે છે તે કાંઈ હાનિકર્તા નથી, પરંતુ “ અધર્મ ” પામ, એ ખરેખર નુકસાન કર્તા છે. લાખના સવાલાખ ન થાય, એ એટલું દુઃખકર ન થાય, જેટલું કે લાખના સાઠ હજાર કે બાર હજાર કરવાથી થાય છે. કોણ કહેશે કે જે સાધુઓ બીજાને અધર્મ પમાડનારા થાય છે–પિતાના ર્તવ્યથી બીજાને અધર્મ પમાડનારા થાય છે, તેઓ લાખના સાઠ હજાર કે બાર હજાર કરનારા નથી થતા ? ત્યારે શું “ ભાગવતી ધક્ષા ” લીધાની આ સાર્થકતા ! જગતના ગુરૂ બનવાની આ ઉપગિતા ? અએવ “ ભાગવતી દીક્ષા ” ના ઉપાસકેએ-સાધુએાએ દીક્ષિતેએ પિતાના ધર્મને જ સંભાળવાની જરૂર છે. જો આપણે આપણે ૧૫ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.035230
Book TitleSamayne Olkho Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1934
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy