SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીરના પ્રત્યેક પૂજારીને ! મમભાવ રાખવાની ઉદારતા મહાવીરના પૂજાએ આપણે ધરાવતાજ નથીઆવી સ્થિતિમાં મહાવીરના ધર્મને પ્રચાર કેમ થઈ શકે? મહાવીરના પૂજારીઓની સંખ્યા કેમ વધી શકે ? ધર્મની સાથે સામાજિક બંધારણને સંડવાવવાં, એ વાસ્તવિક ધર્મને ખાબોચિયામાં ડુબાવી રાખવા બરાબર શું નથી ? જગત જાગ્રત થયું છે. બુદ્ધિવાદને જમાને છે, વિજ્ઞાનની કસટી ઉપર જે ધર્મના સિદ્ધાન્ત સે ટચના સોનાની બરાબર એપી ઉઠે, એ ધર્મને સ્વીકાર કરવાને આજે દુનિયા તૈયાર છે. ત્યારે શું મહાવીરના પૂજારીઓનું એ કર્તવ્ય નથી કે-કેઇ પણ જાતિ કે કોઈ પણ દેશને માણસ આ ધર્મને આદર કરે સ્વીકાર કરે, એને સર્વથા અપનાવો ? અરે, જેઓ એક સમયે દઢ જૈન, હતા, મહાવીરના પૂજારી હતા, પરંતુ અત્યારે કાલના પ્રભાવે કે આપણી બેદરકારીથી વિખુટા પડી ગયા છે, એએને અપનાવવાની અને જૈનધર્મની શીતલ છાયામાં બેસાડી તેમની સાથે સર્વ પ્રકારને વ્યવહાર ચાલુ કરવાની પણ ઉધરતા મહાવીરના પૂજારીઓ ન કરી શકે, એના જેવો ખેદને વિષય બીજો કો કહી શકાય ? અતએવ મહાવીરના પ્રત્યેક પૂજારીનું કર્તવ્ય છે કે મહાવીરના. ધર્મને જેમ વધુ પ્રચાર થાય, એને માનવાવાળા વધે, અને દુનિયા જૈનધર્મના વાસ્તવિક સિદ્ધાન્તને જાણે, એવા જે કંઇ શક્ય ઉપાયો હોય, તે હાથમાં લેવા. અને કોઈ પણ દેશ કે જાતિને માણસ યદિ જૈનધર્મ પાલન કરે છે, તે તેની સાથે તમામ પ્રકારને વ્યવહાર, રાખવાની ઉદારતા રાખવી, એ મહાવીર જ્યન્તીનો બીજો પ્રકાર છે.. ધ્યાનમાં રાખવું જોઈએ કે સ્વધર્મની સાથે પરહેજ રાખવાનું ફરમાન મહાવીરના ધર્મમાં છે જ નહિં. સ્વધની સાથે પણ પરહેજઅનુદારતા રાખવાનું કાર્ય તે તેજ કરી શકે છે કે જેણે મહાવીરના, ૧પપ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.035230
Book TitleSamayne Olkho Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1934
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy