SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ સમયને ઓળખો. રચના દ્વારા જૈનસાહિત્યનાં અંગે ખૂબ પુષ્ટ કર્યો. ભદ્રબાહુસ્વામીએ નિર્યુક્તિયોની રચના કરી આમેના રહસ્યને સ્પષ્ટ કર્યું. આવી જ રીતે હેમચન્દ્રાચાર્યે સાડા ત્રણ કરે કેની રચનાધારા અને છેવટે યશોવિજયજી ઉપાધ્યાયે એક આઠ ગ્રંથની રચના કરીને જૈનસાહિત્યને ઔર સમૃદ્ધ બનાવ્યું. આવા અમુક ગણ્યા ગાંઠયાજ નહિ, પરતુ જૈનધર્મમાં અનેક પ્રખર આચાયો-વિદ્વાન થઈ ગયા છે કે–જેમણે સંસ્કૃત પ્રાપ્તના હજારે ગ્રંથની રચના કરી; એટલું જ નહિં પરંતુ બાલજીના બોધને માટે તેમણે ભાષામાં પણ એટલા ગ્ર રચ્યા કે જેનો બહોળો ખજાને આજે પણ પ્રાપ્ત થઈ શકે છે. ઇતિહાસના કથન મુજબ ભારતવર્ષની સાહિત્યલક્ષ્મીને પૂર્વ કાળમાં ઘણો નાશ થઈ ગયું છે, અને લાખો ગ્રંથ વિદેશમાં ચાલ્યા ગયા છે, તેમ છતાં આજે ભંડારોના ભંડાર જૈનસાહિત્યના ખજાનારૂપ ભરેલા દષ્ટિગોચર થાય છે. આ ઉપરથીજ આપણે અનુમાન કરી શકીએ છીએ કે પૂવોચાયોએ જૈનસાહિત્યને કેટલું - સમૃદ્ધ બનાવ્યું હોવું જોઈએ ? પરંતુ સમયે પાછાં પલટો ખાધો. જૈન સાધુઓમાં જ્ઞાનાભિચિતા ન્યૂન થવા લાગી. આચાર વિચારની શિથિલતા થતાં યતિ વર્ગમાં સાહિત્યની યત્કિંચિત પ્રવૃત્તિ રહી, તે વૈદ્યક અને તિવમાંજ તેની મર્યાદા બંધાઈ રહી, અને તે વિદ્યા પણ કેવળ ઉદરપૂર્તિના સાધન માટે જ જીવિત રહી. એટલે પરિણામે તો તેની ગણતરી શૂન્યમાં જ થવા લાગી. આમ સાહિત્યની વૃદ્ધિ ઘટી, તેની - સાથે તેની પઠન પ્રણાલી પણ લુપ્ત પ્રાય થઈ. વળી બીજી તરફથી રૂહીની પૂજાને મહત્ત્વ અપાયું. એટલે પ્રારંભમાં કહેવામાં આવ્યું છે તેમ જૈનસાહિત્ય ભંડામાંથી બહાર નીકળવું બંધ થયું. અને જ્યારે જૈનસાહિત્યજ જનતાના હાથમાં ન ગયું એટલે જૈનસા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035230
Book TitleSamayne Olkho Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1934
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy