SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ શ્રેણું : ૧ : જીનું દીક્ષા કલ્યાણક ઉજવવા આવ્યા. મહેટો વરઘોડે નીકળે. દીક્ષા લેતાં ચોથું મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. એ ભગવાનનો તે રોજ ને રાજ જ્ઞાનપ્રકાશ વધતો ને વધતો જ ગયે. આપણે તે આજનું ખાધેલું કાલે ભૂલી જઈએ. વર્ષ દિવસ પહેલાં કરેલી વાતને આજે શબ્દ શબ્દ યાદ કરી શકતા નથી. દ્રવ્ય લક્ષ્મીથી પણ આપણે અધૂરા ને જ્ઞાનલક્ષ્મીથી પણ આપણે તે અધરાજ ! તેવા પૂરા થવાને આપણે પ્રયાસ પણ કયારે કર્યો છે? આપણે તો છોડી જવાની ચીજોને ભેગું કરવાવાળા છીએ, એટલે આપણે પૂરા કયારે થઈશું, એ તો જ્ઞાની પુરુષો જાણે. ભગવાન તે નિઃસ્પૃહી છે, ગામે ગામ વિચરે છે, પણ સંયમી એવા પ્રભુ જ્યારે પધારે, ત્યારે કેમ વહારાવવું એ વિધિને કોઈ જાણતું નથી. કારણ કે આ પૃથ્વી તળનાં સંયમદ્વાર અઢાર કડાકોડી સાગરોપમેના વર્ષો સુધી blackout ના જેવા અંધારપટવાળા ધર્મ વિનાના વીત્યા બાદ, પહેલાજ પ્રભુજીએ ઉઘાડ્યા હતા. એમ કરતાં એક વર્ષ વીતી ગયું. એવામાં ભગવાન હસ્તિનાપુરમાં પધાર્યા. હસ્તિનાપુર દિલ્હીની નજીક છે. તે વખતે હસ્તિનાપુરની પ્રખ્યાતિ અને જાહજલાલી ઘણીજ હતી. તે અરસામાં બાહુબલીજીના પુત્ર, એટલે ભગવાનના સંસારી પિાત્ર શ્રેયાંસકુમારે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035226
Book TitleRushabhdev Swami Ane Bhagwan Nemnath
Original Sutra AuthorN/A
AuthorLabdhisurishwar Jain Granthmala
PublisherLabdhisurishwar Jain Granthmala
Publication Year1948
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy