________________
બાળજીવન ગ્રંથાવલી : ને એક ઉતરત કાળ તેનું નામ અવસર્પિણી કાળ. આપણે આ સમય અવસર્પિણી કાળને છે. એટલે દિવસે દિવસે સુખ ઓછું જોવામાં આવે, ને ન દેખેલાં દુઃખને અનુભવ કરવો પડે. ક્રમે કરી જમીનના રસકસ, મધુરતાદિ ગુણ પણ ઓછા થતા ગયા. આયુષ્ય ઓછા થતા ગયા, અને કલ્પવૃક્ષો પણ ઘટી ગયા. એટલે કજીઆ શરૂ થવા લાગ્યા. વેર ઈષ્યના અંકુરાઓ ફૂટવા લાગ્યા.
અવસર એ આવ્યો, કે કલ્પફળ મળવાં બંધ થયાં. ખેતીવાડી કેાઇને આવડતી નહિ. બધા જાય નાભિકુલકર પાસે ફરિયાદ કરવા. લડે ઝઘડે તોય ફરિયાદ કરવા ત્યાં જ જાય. હવે તે શ્રી ઋષભદેવે રસ્તા બતાવ્યા. કલ્પવૃક્ષના ફળ ન મળે તે અનાજ જોઈએ. અનાજ ખેતીવાડી વિના થાય નહિં. વનસ્પતિ ફળફૂલથી પેટ ભરવા માંડ્યું. અનાજ થયું, તે પણ કાચું ખાય તે કેમ પચે? ખાધું પચે નહિં. પકાવવાના રસ્તા જાણ્યા, એટલે હાથથી મસળીને, પછી પડીમાં પલાળીને, કાખમાં ગરમાટો આપીને ખાતાં પણ બહુ નમ્યું નહિં.
એમ કાળાન્તરે સંઘર્ષણથી થયો અગ્નિ. લોકોએ કોઇ દિવસ દેખેલ નહિં, બધા કહેવા લાગ્યા “આ તો રાક્ષસ છે કે શું?” ભગવાન પાસે ગયા. જવાબ મળ્યો,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com