SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ચંદ્રપ્રભાના પુત્ર ચિત્રધ્વજ હતા.” આવી રીતે પ્રત્યેક ગોપી અને ગેપબાલા ઋષિ, મુનિ જનોના અવતાર હતા. શ્રી કૃષ્ણ કેણ હતા? શ્રી કૃષ્ણ પણ પ્રાકૃત માનવી ન હતા; સંપૂર્ણ રીતે દેવી હતા; સ્વયં પરમાત્મા હતા. જે ઈશ્વર–પરમાત્મા સાધુજનના રક્ષણ માટે તથા પાપીઓને સંહારવા માટે યુગે યુગે અવતાર લે છે તે તે હતા. આ અવતાર પહેલાં તેમના અનેક અવતાર થઈ ગયા હતા, પણ તેમાંના દરેક અંશાવતાર અથવા કલાવતાર હતા; પરન્તુ માત્ર આજ પૂર્ણાવતાર હતો. ઐશ્વર્યભાવ પ્રસરાવવાની શક્તિ પ્રત્યેક અવતારમાં હતી, પરંતુ મધુરભાવ-પ્રેમભક્તિને સ્વાદ આપવા માટે “sorg માવાન સ્વયમ્” જાતે અવતર્યા. આ સમયે જીવને બ્રહ્માનંદમાં–પૂર્ણરસમાં તરબોળ કરવાની આવશ્યકતા હતી, અને તેટલા માટે પૂર્ણ રૂપે પ્રગટ્યા. ઉચ્ચ સ્થિતિનો અનુભવ પ્રાપ્ત થાય તે માટે સાધુજીએ તેને આમંત્રણ કર્યું હતું; માતા પૃથ્વીએ વિનતિ કરી હતી અને દેવગણે પ્રાર્થના કરી હતી માટે જ તે પૂર્ણરૂપે પ્રગટ્યા. પ્રભુને સહાય કરવા માટે વૈકુંઠમાંના નિયમુક્ત ભકતાએ રાસલીલામાં ભાગ લીધો હતો, અને દેવગણે ઐશ્વર્યલીલામાં ભાગ લીધે. હતો. તે ભક્તો તથા દેવે બધા સાધારણ જીવથી શ્રેષ્ઠ હતા; સર્વ આદર્શરૂપ હતા. પ્રિય બધુઓ અને ભગિનીઓ ! વ્રજગોપીઓ નિત્યમુક્ત જીવ હતા; આપણુ જેવા બંધાએલા જીવ ન હતા. અન્યનું એય કરવાની લાલસાવાળા, અનેક આત્માઓને કલ્યાણ પંથ પર દેરવાની શક્તિ ધરાવનારા, તે ઉચ્ચ કોટિના આત્માઓએ રણને લીલામાં મદદ કરી આપણા પર અનુગ્રહ કર્યો અને વલણ આદર્શ બન્યા છે અને તેના સ્વજનેએ મૃત્યુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035224
Book TitleRaslilanu Adhyatmik Rahasya tatha Prashnottar
Original Sutra AuthorN/A
AuthorShishya
PublisherVenishankar Govardhanram Bhatt
Publication Year1944
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy