________________
ખીજી અનેક સંસ્થા તરફથી મા મડળીને અભિનંદન અને વિદાયમાન આપવામાં આવ્યું હતું. પૂર્વ આફ્રિકાની મશક્રૂર સંસ્થા—હિંદુ મંડળ તરફથી પાસપર્ટ વગેરે મેળવવાની ખાખતમાં તથા પ્રચાર કાર્યાની વ્યવસ્થા કરવાની બાબતમાં ધણી મદદ આ પ્રચારક મંડળીને મળી હતી. સુરતમાં વિદાયમાંન
સુરતથી ઉપડી જતાં પહેલાં ત્યાંના નાગિરકા તરફથી આ અંડળીને વિદાયમાન આપવામાં આવ્યું હતું. જાણીતા દેશસેવક અને મુંબઈ પ્રાંતીય ધારાસભાના સભ્ય શ્રી હેાટુભાઇ ભાઇદાસ મારફતીયાએ
આ સમારંભનું પ્રમુખસ્થાન લીધું હતું અને શહેરના ઘણા આગેવાને એ એમાં ભાગ લીધા હતા. ગુજરાત પ્રાંતીય ક્રાંગ્રેસ કમિટિના પ્રમુખ શ્રી કનૈયાલાલ દેશાઈ એ આ સમારંભમાં અગત્યના કારણસર ભાગ લેવા અસમર્થ થવાથી એક સંદેશા મેકલી આફ્રિકામાં આ મંડળીને સંપૂર્ણ સફળતા મળે એવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.
મુંબઈમાં વિદાયમાન
તા. ૨૮મી મેએ સુરતથી ઉપડીને આ મંડળી મુંબઈ સેન્ટ્રલ સ્ટેશને પહેાંચતા સ્ટેશન પ્લેટફામ' ઉપર મુંબઇ પ્રાન્તીય ક્રાંગ્રેસ કમિટિના પ્રમુખ, મંત્રી તથા સ્વયંસેવક સેવિકાઓની એક ટુકડીએ મંડળીનુ સ્વાગત કર્યું હતું.
તા. ૨૯મીએ મુખર્જીના નાગરિકા તરફથી મા સડળીને વિદાયમાન આપવા માટે વૈષ્ણવાચાર્ય શ્રી દીક્ષિતજી મહારાજના પ્રમુખપદે શ્રી માધવબાગમાં એક વિરાટ સમારંભ યેાજવામાં આવ્યું હતા. આ સમારંભના જવાબમાં આ મંડળીના નેતા સ્વામીશ્રી અદ્વૈતાન ઃજીએ કહ્યું હતું —વિસ્તાર એ જ છત્રન અને સકાય એ જ મૃત્યુ છે. હિંદુસ્તાન જ્યારથી કૂત્તિ ધારણ કરીને એટલે કે કાચબાની માક આત્મસ ક્રાય કરી જેમ તેમ કરીને સ્વરક્ષણ કરવું તેમાં જ પેાતાના જીવનની સાર્થકતા માનતું થઈ ગયું હતુ. ત્યારથી જ એના અધઃપતનની શરૂઆત થઈ હતી. આત્મરક્ષણની સાથે સાથે આત્મવિસ્તારની ઝંખના—એનું જ નામ સાચું જીવન. પ્રાચીન યુગની જેમ આ યુગમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com