________________
પસાર થયેલા ઠરાવો - (૧) જાતીય ભેદો તથા રંગ ભેદને ભૂલી જઈને સમગ્ર જગતમાં "વાસીઓને વિશ્વ બંધુત્વની ભાવના પેદા કરવા માટે હાકલ કરતા;
( ૨ ) ભારતીય સાંસ્કૃતિક મિશનને પૂર્વ આફ્રિકામાં મોકલવા માટે ભારત સરકારનો આભાર માનતા તેમજ એવા જ મિશનને અવરનવર -આફ્રિકા ખંડમાં મોકલવા માટે વિનંતિ કરતા;
(૩) પૂર્વ આફ્રિકામાં ભારતીય સંસ્કૃતિનું શિક્ષણ આપતી સંસ્થાઓની -સ્થાપના કરવા માટે પૂર્વ આફ્રિકાના ભારતવાસીઓને વિનંતિ કરતા;
(૪) શ્રી. એ. વી. પટેલ, શ્રી એ. પ્રીતમ, શ્રી એસ. જે. અમીન, ડો. વી વી. પટવર્ધન તથા શ્રી એન. કે. માલડેને લઈને એવી સંસ્થાની સ્થાપના માટે ચેાગ્ય પ્રબંધ કરવા એક સમિતિ નીમવાની જાહેરાત કરતા— - પાંચ ઠરાવો આ સંમેલનમાં સર્વાનુમતે પસાર થયા હતા
ભારતીય સંસ્કૃતિ સંમેલનને અંતે “વદેમાતરમ્” સંગીત ગવાઈ રહ્યું છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com