SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વ આફ્રિકામાં ભારતીય સંસ્કૃતિને પ્રચાર આજે ભારત સ્વતંત્ર છે. પરંતુ ભારતમાં વસી રહેલી પ્રજાઓના જીવનમાં ખાસ કરીને હિંદુ પ્રજાના જીવનમાં નજર ફેરવતાં એમાં આ સ્વતંત્રતાને વાસ્તવિક પરિચય યા તો નિર્દેશ લેશ પણ મળતું નથી. અમારા કેટલાક રાષ્ટ્રધુરંધરે અને નેતાઓથી માંડીને તે જનસમુદાય સુધી–અમે બધા જ બધી બાબતની દેરવણી માટે સાગર પારનાં ઈંગ્લેંડ, અમેરીકા, કે રશીયા ઉપર જ આધાર રાખી રહ્યા છીએ. એથી પહેલાં તે અમે આદર્શ અને ભાવનાના ક્ષેત્રમાં માત્ર અંગ્રેજોના જ ગુલામ હતા. પરંતુ કહેવાતી સ્વતંત્રતા પછી આજે તે અમે એ બાબતમાં અમેરીકન, રશીયન વગેરે તમામ વિદેશી પ્રજાઓની ગુલામી સ્વીકારવા તત્પરતા બતાવી રહ્યા છીએ. પહેલાં તે માત્ર અંગ્રેજોની ગુલામીની મારફતે જ અમારામાં વિજાતીય ભાવનાઓ ઘુસવા પામતી હતી. પરંતુ આજે તે એવી અનેક જાતિઓની સંસ્કૃતિક ગુલામીની મારફતે અનેક પ્રકારની વિજાતીય ભાવનાઓના મેજ હિંદુ સમાજને આંગણે ઉછાળી આવીને એને તાણી લઈ જાય છે. હિંદુત્વની અતિ ઉચ્ચ ભાવનાઓ-આર્ય ધર્મ, આર્ય સંસ્કૃતિના આદર્શો અને તેની સાધનાઓ-આજે તે વિલુપ્ત થવા બેઠી છે; હિંદુઓ પિતે જ આજે પ્રત્યક્ષ રીતે એને વિરોધ કરવા માંડયા છે. પિતાના રત્નભંડારને વિષે માત્ર ઉદાસીનતા જ નહીં પણ મેટે ભાગે અવગણના'ની જ ભાવના સેવી રહેલા હિંદુ સંતાને આજે તે તુચ્છ રજકણોની આશાથી વિદેશીઓ અને વિજાતિઓનું અનુકરણ અને અનુસરણ કરવા પલાવી પડયા છે. વિદેશીઓ જે વસ્તુની કદર કરે છે તેની જ તેઓ કદર કરતા હોય છે અને વિદેશીઓ જે વસ્તુની અવગણના કરે છે તેઓ પણ તે વસ્તુની વગર વિચાર અવગણના જ કરવા તૈયાર થાય છે. રવી છેઆજે હિંદુ સંતાનની હીન મનેદશા. તેથી જ તે આજે મમ દુનિયામાં હિંદુ ધર્મ અને હિંદુ સંસ્કૃતિના અમૃતમય સંદેશાઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035221
Book TitlePurv Africama Bharatiya Sanskritino Prachar
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy