SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ શું પુણ્ય સર્વથા હેય છે? - લેખક :સિધ્ધાંત વારિધિ, સિધ્ધાંત ભૂષણ બ્રહ્મચારી શ્રી. રતનચંદજી જૈન મુખ્તાર–અધ્યક્ષ શાણી પરિષદ પુણ્યના વિષયમાં કંઈક ભ્રમ ફેલાઈ ગયો છે અને જેને લીધે મનુષ્ય ધર્મથી વિમુખ થઈ રહ્યો છે. આજના મનુષ્યને આમેય તે ધર્મથી અરૂચિ છે અને તેમાં તેને એ ઉપદેશ મળે કે “ પુણ્ય હે છે ' તે તે દયા, દાન, પૂજા ભક્તિને કેમ અપનાવશે અને પાપને ત્યાગ કેમ કરશે? અથત નહી કરે. આ પ્રકારના ઉપદેશદ્વારા જનધર્મની હાનિ તે થાય જ છે પરંતુ તદુપરાંત પણ સદાચારને અભાવ થવાથી સંસારમાં ભ્રષ્ટાચાર વધતા જાય છે, જેથી પ્રત્યેક મનુષ્ય દુઃખી છે. રાષ્ટ્રના નેતાઓ પણ આ ભ્રષ્ટાચારને દૂર કરવા નિરંતર ચિંતિત છે. સંસારી પ્રાણીને જે કંઈ સુખ મળે છે તેનું કારણ પૂ. પાર્જીત પુણ્ય કર્મ છે. ધર્મ કરવાથીજ પુણ્યપાજન થાય છે. અહીને મનુષ્ય સાંસારિક અથવા મેક્ષ બન્ને પ્રકારનાં સુખથી વંચિત રહે છે. પુણ્યના ઉદયથી જ મનુષ્યને ચાવર્તી પદ અથત છ ખંડના રાજપનું સ્વામીત્વ તેમજ તીર્થ કરપદ મળે છે. એટલે કે ધર્મતીર્થના પ્રવૃત્તિ થાય છે. થી ૧૦૮ કુંદકુંદ આચાર્યું પ્રવચનસારની ગાથા કપમાં “પુણ્યફલા અરહંતા, શબ્દકાસ એ સ્પષ્ટ કહી દીધું છે કે અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંતવીર્યરૂપ અરહંત પદ પુણ્યનું ફળ છે. છા ૧૦૮ વિધાનંદ આચાર્યો અષ્ટસહસ્ત્રકારિકા ૮૮ની ટીકામાં "मोक्षस्यापि परमपुण्यातिशय चारित्र विशेषात्मक पौरुषाખ્યાયિ અવતા” આ વાકયધારા આચાર્યો એમ બતાવ્યું છે કે મેક્ષની પ્રાપ્તિ પરમપુણ્ય અને ચારિત્રરૂપ પુરૂષાર્થદ્વારાજ સંભવિત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035220
Book TitlePunyadharm Mimansa
Original Sutra AuthorN/A
AuthorIndralal Shastri
PublisherGujarat Prantiya Digambar Jain Siddhant Samrakshini Sabha
Publication Year1966
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy