SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૮૬ ) કરતાં દિનપ્રતિદિન ધર્મનું હનન થવા દેવામાં ઈશ્વરને ત્યાં પૂર્ણ પ્રત્યવાયના ભાગી બની આપણે મૌન અવલંબન કરી બેસી રહેશું તે આપણે માટે આ કરતાં પણ કેવું અને કેટલું વિષમ પરિણામ આવશે, તે તે માત્ર શ્રી વિશ્વભરજ જાણી શકે; માટે ધર્મનું અભિમાન રાખનારા–“સર્વધર્માચાર્યો, ગુરૂપદ ધારણ કરી બેઠેલા મહાત્માઓ, સંપ્રદાય તથા પંથપ્રવર્તકે પવિત્રસ્થાનેએ ત્યા મંદિરમાં વ્યાસપીઠ પર આરૂઢથઈ મને રંજક શાસ્ત્રીય, પ્રવચને કરનારા શાસ્ત્રીબાવાઓ, વાદ્યયંત્ર તેમજ મધુર સંગીતસમેત ભિન્નભિન્ન પ્રકારના હાવભાવ કરી રેચક અને મને હર કથાઓદ્વારા હરિકીર્તન કરનારા બુવાઓ, મંત્રતંત્રપ્રભાવશાલીપુરૂષ, ઈષ્ટદેવના ઉપાસકે યોગીઓ, સાધુ સંન્યાસીએ બ્રહ્મચારીઓ, ક્ષત્રિય રાજા મહારાજાઓ, પંડિત, વિદ્વાન વ્યાખ્યાતાઓ, મઠાધીશ મહેતા, ધનસંપન્ન વૈષ્ણવે તેમજ સ્મા અને અન્ય સંપ્રદાયના અનુયાયીઓસનાતનધર્મ સભાના નેતાઓ તેમજ સમસ્ત ભારતવાસી હિંદુઓ” ! ! ! જાગે ! ઊઠે ! અને સંપૂર્ણ સાવધાન થઈ નિર્ભયપણે ધર્મત્રાતા–શ્રી જગદીશ્વરનું અનન્યશરણ લઈ ધર્મદ્રોહી તથા ધર્મવિરોધીઓ સામે રણસંગ્રામમાં-પરસ્પર મતભેદને કેવલ ભૂલી જઈ સમૂહાત્મક એકતાના પૂર્ણ અને પ્રબલ વેગથી યા હોમ કરી સત્વર ઝંપલાવો અને મારા પરમપ્રિય ધર્મબંધુઓ! પર્યવસાને ધર્મ પક્ષનું સમર્થન કરનાર-વીસંપન્સમન્વિત પુરૂષોનેજ સર્વાશમાં વિજય છે, એમ નિશ્ચયપણે માની લેજે કલિયુગમાં થનાર ઘર અનાચારની આગાહી સંબંધે આપણું ત્રિકાલજ્ઞ ઋષિમુનિઓ જે લખી ગયા છે, તે આપણને નેટીસ અર્થાત સૂચના તરીકે, તે તે અનાચારને ફલાદેશ જાણી લઈ તેમાં નહિ પ્રવૃત્તિ કરવા તથા અન્યને પણ તે પ્રવૃત્તિ નહિં કરવા દેવામાટેજ લખી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035219
Book TitlePunarlagna Nishedh Ane Sprushyasprushya Vivek
Original Sutra AuthorN/A
AuthorLakshmishankar Narottamdas Vaidyaraj, Chunilal Chotamlal Bohra
PublisherSanatan Dharm Pravartak Mandal
Publication Year1928
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy