SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ vvvvvvvvvvvvvvv :: ૮૫::: પ્રશ્નોત્તરરત્નમાળા ને સાચે અને બેટે નેહ સરખાવવાને શ્રીપાળકુમાર અને ધવલ શેઠનું દષ્ટાંત પ્રસિધ્ધ છે, ૧૧૪. સજજન સ્નેહ મજીઠી રંગ, સર્વકાળ જે રહત અભંગ-જ્યારે દુર્જનને સ્નેહ પતંગના રંગ જે ફીક્કો, કાર અને કૃત્રિમ છે, ત્યારે સજ્જનને સ્નેહ ળ મછઠના રંગ જે ઉમદા, અવિહડ અને અકૃત્રિમ એટલે સ્વાભાવિક છે. તેથી તે ગમે તેવા સમવિષમ સગેમાં ગમે તેવી કટીના વખતે પણ બદલાતું નથી, તેમ ફિકકે પડતે નથી. સજન પુરુષને સ્નેહસમાગમ ગંગાના પ્રવાહ જેવો પવિત્ર છે, તેમની દષ્ટિ અમૃતમય હોય છે, તેમની વાણું મધુર હોય છે, તેથી તે ગ્ય જીને અનેકધા ઉપકારક થાય છે. અત્યંત અગ્ય જનેનું હિત સાધી ન શકાય તેમાં સનેને લેશ માત્ર દેષ નથી, કેમકે તેમની દષ્ટિ તે સહનું હિત કરવા ભણી જ વળેલી હોય છે, પણ તેવા જ પોતાના દુર્ભાગ્યથી સજજનેના લાભને મેળવી શકતા નથી. જ્યારે ઝળહળતે સૂર્ય દશે દિશાઓને દીપાવી જગત માત્રનું સમીહિત સાધે છે ત્યારે ઘુવડની આંખ મીચાય છે, વષમાં જ્યારે બધાં વૃક્ષો નવપલ્લવ થઈ રહે છે ત્યારે જવા સૂકાઈ જાય છે, વસંત ઋતુમાં જ્યારે સકળ વનરાજી ખીલી નીકળે છે ત્યારે કરીર વૃક્ષ (કેરડા) કરમાઈ જાય છે, અને જ્યારે ચંદ્રથી સહુ કઈ શીતળતા મેળવી શકે છે ત્યારે વિરહી જનેને વિરહાગ્નિ વ્યાપે છે. તેમાં કેને દેષ? શું સૂર્ય, વર્ષા, વસંત કે ચંદ્રને તેમાં દેષ છે? નહિ જ. કિંતુ સામાના દુર્ભાગ્યને જ દેશ છે, એમ સમજવું. એવી રીતે સજ્જન પુરુષોથી આપણે ઉત્તમ લાભ મેળવી ન શકીએ એમાં સજનને લેશ માત્ર દેષ નથી, પણ આપણે જ દેષ છે. સજ્જન પુરુષે તે પૂર્વોક્ત ઉત્તમ ઉપમાને જ લાયક છે. તેમને જન્મ, તેમને સ્વભાવ, તેમને સમાગમ અને તેમની કૃતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035213
Book TitlePrashnottarmala
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherVardhaman Satya Niti Harshsuri Jain Granthmala
Publication Year1940
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy