SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૪૭ પ્રશ્નોત્તરરત્નમાળા છે અને વિનયગુણ આદેય છે. વિનયથી વૈરી પણ વશથઇ જાય છે. ૬૩. વિષવેલી માયા જગમાંહિ—આખા જગતમાં ફેલાયેલી કાઇ પણ વિષવેલી હાય તે તે માયા–છળવૃત્તિરૂપ છે. જેમ વિષવેલીનાં મૂળ, પત્ર, ફૂલ, ફળ અને છાયા સવે વિષરૂપ જ છે અને તેનું સેવન કે આશ્રય કરનારને વિષ વ્યાપે છે, તેમજ માયા આશ્રી પશુ સમજવુ. તફાવત એટલે જ છે કે વિષવેલીથી દ્રવ્યપ્રાણુના વિનાશ થાય છે, ત્યારે માયાથી ભાવપ્રાણના લેપ થાય છે. માયાવી જનેની હરેક ક્રિયા વિષમય હોય છે, અને તે પ્રત્યેક ક્રિયાથી સ્વપરના જ્ઞાનદર્શન ચારિત્રાદિક અમૂલ્ય ભાવપ્રાળુના નાશ થાય છે. મતલબ કે માયાવીની ધર્મક્રિયા પશુ નથી તેને સુખદાયી, તેમ નથી અન્યને સુખદાયી; પણ તે સ્વપરને એકાંત દુઃખદાયી જ નિવડે છે. એથીજ એ હૅય છે અને નિષ્કપટવૃત્તિ ઉપાદેય છે. કપટ રહિત મન, વચન અને કાયાથી કરાતી વ્યવહારકરણી કે ધર્મકરણી જીવને ક્રુતિથી ખચાવી સદ્ગતિગામી બનાવે છે. ૬૪. લાલ સમા સાયર કાય નીંહ—àાભને અત્ર સાગરની ઉપમા આપવામાં આવી છે. તે એવી રીતે કે જીવને જેમ લાભ મળતા જાય છે તેમ લાભ વધતા જાય છે, અને તે અનુક્રમે વધીને સાગર જેવા વિશાળ થાય છે; પરંતુ નોમનુજાનિ તુલ્લાનિ એ ન્યાયે લાભમાં દુઃખની પરંપરા રહેલી છે, તેને લેભાંધ જોઈ શકતા નથી, તેથી જ તેમાં ખેચાયે જાય છે. કહ્યુ છે કે ‘કાઉ સય સૂરમણુકો, જે નર પાવે પાર; તે પણ લાભસમુદ્રકા, લહે ન મધ્ય પ્રચાર.’ આગર સબહી દ્વાષકો, ગુણ મનકા બડ ચાર; વ્યસનવેલીકા કંદ હૈ, લેાલ પાસ ચિહું આર.’ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035213
Book TitlePrashnottarmala
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherVardhaman Satya Niti Harshsuri Jain Granthmala
Publication Year1940
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy