SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રદીપ ઉત્તર :જે વ્યકિતમાં આવરણને ભેદવાની શકિત છે અને તે શક્તિ વડે નિરાવરણ બનવાના ભાવ પણ ધરાવે છે, છતાં આવરણનું સાચું સ્વરૂપ સમજાયું નથી, તેથી સાવિક ભાવે અન્ય અન્ય પ્રયત્ન કર્યા કરે. જેમ કઈ રોગી માણસ નરેગી થવા માટે સાચા ઔષધની પૂરી જાણ વિના અન્ય અન્ય ઔષધિ કર્યા કરે, એટલે ભાવના સાચી હોવા છતાં સમજણને અભાવે જે અવ્યવસ્થિત પ્રયત્ન ચાલતું હોય તે અન–આવડત કહેવાય. તાવિક રીતે વિચારીએ તે મોહનીય કર્મના શરત ઉપશમ સાથે જ્યારે જ્ઞાનાવરણીય કર્મનો ઉદય ભળે. ત્યારે મેહનીય કર્મના શુભ (પ્રશરત) ક્ષેપશમને પ્રભાવે ભાવ સાધુતાની લગની લાગે. પરંતુ જ્ઞાનાવરણીય કર્મને ઉદય તેને સૂઝ પડવા દેતું નથી, તેથી તેને પોતાની ભાવના સફલ કરવા માટેનો ઉકેલનો માર્ગ પૂરો સૂઝતો નથી. આનું નામ અન–આવડત કહેવાય. ૧૨ પ્રશ્ન ૫૮ - આ ઉદાહરણ દ્રવ્યમુનિ અને વેશમુનિ માટે કેમ ઘટાવવું ? ઉત્તર- દ્રવ્યમુનિ તેને કહેવાય કે-જે સાધુ ભલે કદાચ પ્રથમ ગુણસ્થાને પણ હય, છતાં મંદ મિથ્યાત્વી હોય, અ૫ કષાયી હોય, છતાં પણ તે મોક્ષનું સ્વરૂપ યથા– ન સમજવાને કારણે, ગ્રહણ કરેલ ચારિત્ર્યના માર્ગમાં અનઆવડતને કારણે પૂરે સફલ નથી બનતે. આમ છતાં તેના ભાવ તે ઊંડે ઊંડે સાચી સાધુતા તરફ જ ઢળેલા હોય, તેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035207
Book TitlePrashna Pradip
Original Sutra AuthorN/A
AuthorJanakrai Maharaj, Manoharlal Maharaj
PublisherDashashrimali Sthanakvasi Jain Sangh
Publication Year1973
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy