________________
પાસેથી કેટલીક હકીકતે મેળવી કનકવા અને લંગરિયાં વિષે લખ્યું છે. વળી “જિક ક્ષેત્રે પુ ”માં પણ ડીક માહિતી એના લેખક મહાદયે આપેલી છે. આ બે પુસ્તકે જઇ જવાની મેં ઈચ્છા વ્યક્ત કરી એટલે તરત જ તેમણે પિતાના પુસ્તકાલયમાંથી મને એ વાંચવા આપ્યાં જે બદલ હું એમને ત્રાણી છું. એ બે પુસ્તક હું વાંચી ગયે તે પૂર્વે હિલી દ્વારા અને Encyclopedia Britanica હું જોઈ ગયે હતે. એમાંથી જે કાંઈ હું લાભ ઉઠાવી શક્યો છું તે બદલ હું એના લેખક અને પ્રકાશક મહાશયને સાનંદ આભાર માનું છું. બંગાળી કેશ વગેરેમાં આ વિષયને અંગે અત્રે નહિ નેંધાયેલી કેઈ વિગત છે કે કેમ તેની હું તપાસ કરી શકશે નથી તેથી મને ખેદ થાય છે. એથી જે કઈ એવી વિગત રહી જતી હોય તે તે તરફ તેમ જ અન્ન રજુ કરેલી વિવિધ હકીકતે પૈકી કેઇમાં કંઈ ખલના જણાતી હોય તે તે તરફ મારું સત્વર ધ્યાન ખેંચવા હું તને વિનવું છું.
આ પુરાણની મુદ્રણાલય-પુસ્તિકા (press-copy) લગભગ તૈયાર થવા આવી હતી એવામાં મને મારા જૂના મહોલ્લામાં–નાણાવટમાં નવલશાના કેઠા આગળ જવાનું થયું, અને મને મારા સદૂગત પિતાના એક બાલ નેહી અને કનકવાના શોખીન અને ઉસ્તાદને મળવાનું થયું. એમનું નામ છગનલાલ છબીલદાસ છે. તેમની પાસે આ પુરાણમાંના કેટલાક મુદ્દાઓને લગતું લખાણું
વાંચી ગયે એ વેળા તેમણે મને જે કંઇ નવીન બાબતેની માહિતી આપી હતી તેની હું અત્ર સાભાર નેંધ લઉં છું.
કેટલાં યે પુસ્તકો જે સમયે છપાઈ રહેવાં જોઈએ તે સમયે છપાઈ રહેતાં નથી, પણ આ પુસ્તક તે ધારેલે સમયે સચિત્ર સ્વરૂપે છપાઈને બહાર પડે છે એટલે આ, આ મુદ્રણાલય નામે “પ્રતાપ”ને પ્રતાપ છે એમ કહ્યા વગર નહિ ચાલે.
હવે આ પુરાણમાં જે ચિત્ર આપેલાં છે તે વિષે બે બેલ કહીશ. આ ચિત્ર અહીંના સુપ્રસિદ્ધ ચિત્રકાર છે. તનસુખ બાલુભાઈએ આલેખ્યાં છે. એમણે જે ઉત્સાહ અને ત્વરાથી આ કાર્ય કર્યું છે તે બદલ એમને ધન્યવાદ ઘટે છે. એ ચિત્રનાં પુનર્મુદ્રણાદિને લગતા તમામ હક આ લેખકને સ્વાધીન છે.
અંતમાં આ પુરાણુ ગુજરાતીઓમાં સંશોધનવૃત્તિ જાગૃત કરવામાં સહાયક થઈ પડે એમ હું ઈચ્છું છું. વિશેષ શું લખવું ?
સાંકડીશેરી, ગેપીપુરા,
સુરત, માર્ગશીર્ષ શુક્લ ચતુથી
તા. ૨૬-૧૧-૩૮
હીરાલાલ, ૨. કાપડિયા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com