SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ છીએ પરંતુ વિચારવું જોઇએ કે “લોક ” હું તેા આત્મા છું. હું વાણિયા નહિ, બ્રાહ્મણ નહિ, માસ્તર નહિ, હિન્દુસ્તાનના જ નહિ પણ પરમાત્મસ્વરૂપ શુદ્ધ ચૈતન્યને પૂજ છું. એ પ્રકારની દૃઢ માન્યતા પૂર્ણાંક બાહ્ય વ્યવહારાના અને શરીરના (જેટલીવાર કાયેાત્સગ કરવા હાય તેટલા સમય) ત્યાગ કરી મનને ધ્યાનમાં જોડવું તે કાયાત્સગ. આત્મભાવનામાં જ તલ્લીન થવાથી દેશ, કાળ કે ાંતના ભેદભાવ સહેજે ભૂલી જવાય અને પોતે જ પેાતાના ભાગ્યવિધાતા છે એવું સમજવાથી દુનિયાના દુઃખા અને દર્દો બધાં નષ્ટ થ જાય. આવી રીતે સક્ષિપ્તમાં તપશ્ચર્યાંના બાર પ્રકારા પૂરાં થાય છે. તપશ્ચર્યા એ યજ્ઞ છે. કર્મની આહુતિ છે. તપશ્ચર્યા એ ભઠ્ઠી છે, આંતરિક અને કચરા તેથીજ બળીને ખાક થાય છે અને પ્રકટી નીકળે છે. તે યજ્ઞમાં જ હામાય બાહ્ય, અન્ને પ્રકારનાં આત્માની તેજસ્વિતા આ તપશ્ચર્યાંના માર્ગને સાંગેાપાંગ સમજી અને વિચારી વિવેક પૂર્ણાંક તે માર્ગે પ્રયાણ કરવામાં આવે તે પોતાનું અને પરનું એમ ઉભયનું કલ્યાણ થાય. સમાજ અને દેશની ઉન્નત્તિ થાય અને પેાતાનેજ આંગણે સ્વર્ગ ઊતરે. મુક્તિના સેાપાન સહેજે મળી રહે. આવા અનુભવ ક ંઇક મહાપુરુષોએ આજ ભારત ભૂમિમાં કર્યો છે અને હજુ પણ તેનાંજ દિવ્ય આંદલનથી પાશ્ચાત્ય સંસ્કૃતિના સતત પ્રહારી છતાં આછી કે ઊંડી ભારતની પવિત્રતા જળવાઇ રહેવા પામી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034998
Book TitleParyushan Parv Vyakhyanmala
Original Sutra AuthorN/A
AuthorJainatva Vicharak Mandal
PublisherJainatva Vicharak Mandal
Publication Year1934
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy