SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ પ પન્દ્રિયાના વિષયાને કાબૂમાં રાખવા. આના સંબંધમાં ઘણું ખેલી શકાય પણ વિષય બહુ લંબાવાના ભયે ટ્ર'માં એટલુંજ કે ઇન્દ્રિઓના સંયમ એ આત્મશુદ્ધિનું મુખ્ય અંગ છે. અગાઉની પાંચે તપની આરાધના કરનારને આ તપ સુલભ બને છે અને ત્યારબાદ તે આંતરતપને અધિકારી થાય છે. એટલે પાંચ ઇંદ્રિયાના વિષયા અને મનને સંયમ વડે અસદ્ભાગ'માં ન જવા દેતાં શુદ્ધ મામાં તેની યેાજના કરવી. આમ કરવાથી દુષ્ટ પ્રવૃત્તિ, દુવિચાર। અને પાપા થવા પામતા નથી, આવી રીતે એ છએ પ્રકારના ખાદ્યુતપ હૃદય વિશુદ્ધિની તૈયારીના છે. હવે છ પ્રકારના આભ્યંતરિક તપને વિચારીએ. પ્રાયશ્ચિત્ત--આંતરિક તપમાં પહેલું જ સ્થાન પ્રાયશ્ચિત્તનું છે. તેના શાસ્ત્રકારોએ અનેક પ્રકારા કહ્યા છે. પરંતુ આપણે તેના તાત્ત્વિક નિષ્ક કાઢીએ તો તેને અ એ થાય કે થયેલી ભૂલને પશ્ચાત્તાપ અને નવી ભૂલા ન થવા પામે તેવા દૃઢ સંકલ્પ, તેનુંજ નામ પ્રાશ્રિત્ત સાચુ પ્રાયશ્ચિત્ત કર્યાં પછી થયેલા ઢા ષા બળી જાય છે અને નવાં થવા. પામતા નથી. વિનય–આપણે વિનયને આજ સુધી બહુ સામાન્ય અર્થમાં સમજીએ છીએ.. પગે લાગવું કે જરા વિવેક દર્શાવવા એટલામાં વિવેકની ઇતિશ્રી માનીએ છીએ. જો વિનયના આટલેજ અર્થ હોત તે। તેનું સ્થાન આત્મિક ઉન્નતિ સૂચવનારા આભ્યંતરિક તપમાં ન હોઇ શક્ત. પરંતુ વિનય એટલે તે। વિશિષ્ટ ન્યાય. બીજાના દોષો ભૂલી જઇ આપણું ગ્ નમ્ર ભાવે–ન્યાય પૂર્વક બજાવ્યે જવું એજ વાસ્તવિક વિનય છે. આવા વિનયથી પેાતાનું ચારિત્ર ઉજ્વલ બને છે અને બીજા પર તેની ઉત્તમ અસર થાય છે. વિનયને વ્યાખ્યાથી સમજાવવા કરતાં દૃષ્ટાંતથીજ તમે વધારે સમજી શકશે એટલે એક દૃષ્ટાંત આપું છું. શૈલક નામના એક રાજાને વૈરાગ્ય ઉત્પન્ન થવાથી; રાજપાટના ત્યાગ કરી દીક્ષિત થયા હતા. તેઓની સાથે ૫૦૦ શિષ્યના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034998
Book TitleParyushan Parv Vyakhyanmala
Original Sutra AuthorN/A
AuthorJainatva Vicharak Mandal
PublisherJainatva Vicharak Mandal
Publication Year1934
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy