SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ કારણ શું ? જો વિનિમય અથવા ખલે એજ દાન પાછળની દૃષ્ટિ હાય તેા એવા ગરીખે અને અજ્ઞાનીઓ દાનના બદલે શું આપી શકે ? હા, આશીર્વાદ જેટલા બદલાની અપેક્ષાએ પણ એવું દાન કરનારા ઘણા છે, પરન્તુ હવે એકલા આર્શીવૃંદથી ચાલી શકે તેમ નથી. હવે તે। આશીર્વાદ આપવાના ધંધા લઈ ખેઠેલા ખૂબ વધી પડયા છે, અને આળસુ તથા પ્રમાદી થયા છે, એટલે આશીર્વાદના બદલામાં દાન આપવાથી જનતાની અશાસ્ત્રીય દૃષ્ટિ સતાષાતી નથી. છતાં ગરીમાને અને નિનાને દાન આપવાને ધર્મ મહાપુરૂષાએ બતાવ્યા જ છે અને આશીર્વાદની પણુ અપેક્ષા ન રાખવાનું કહ્યું છે. ગરી, નિના, અજ્ઞાનીને દાન આપવાની યાજનાને વિચાર કરતાં એટલું ભૂલવું જોતું નથી કે સમાજનું એ એક મે અંગ છે. ભૂખ અને દુઃખ ગરીબ મનુષ્યની વૃત્તિઓને પણ જ્યારે ઉશ્કેરે છે, ત્યારે ધનવાન મનુષ્યા સુખ ભોગવી શકતાં નથી. તેમનું ધન, વૈભવ. કુટુંબ કે મહેલ બગીચા ભૂખદુઃખથી ઘેરાઈને અસંતુષ્ટ તથા મરણીયા થએલા ગરીબ સમાજ આગળ સહીસલામત હતાં નથી એ ધનવાના સારી પેઠે જાણે છે. એટલે સમાજના એ અંગને યત્કિંચિત સંતુષ્ટ રાખવા તેઓ દાન કરે એ તેમની પોતાની ફરજ અને જરૂરીઆત પણુ છે. મોટા ધાડપાડુ, બહારવટીયા અને અસંતુષ્ટ મનુષ્યા જ હેાય છે. જ્યારે સમાજમાં ધનની વહેંચણી એટલી બધી અસમાન બની જાય છે કે તેથી એક વમાં પ્રબળ અસતાષ જન્મે છે, ત્યારે ધનવાન વ પણ સુખ લાગવી જીત નથી. જે આખા સમાજને સુવ્યવસ્થિત રીતે ચલાવવા હાય તા ધનવાનાએ પોતાના ધનના હિસ્સા ભૂખે મરતા, રાગિષ્ઠ, અપંગ અને અજ્ઞાનીઓનાં સુખ-સગવડને માટે ખર્ચવા જ જોઇએ. પછી તે હિસ્સા દાન કે સાગદ્વારા અપાય કે લૂટ, ચેરી અને કર દ્વારા અપાય. એ બધા વચ્ચે તત્ત્વષ્ટિએ બહુ અંતર નથી. પેાતાની સહી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034998
Book TitleParyushan Parv Vyakhyanmala
Original Sutra AuthorN/A
AuthorJainatva Vicharak Mandal
PublisherJainatva Vicharak Mandal
Publication Year1934
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy