________________
અત્યારે પણ વિદ્યમાન છે, એ અનુભવીઓ સારી રીતે જાણે છે. સાધુઓને માટે ભિક્ષા ગ્રહણ કરવા માટે પણ પરમપૂજ્ય શાસ્ત્રકાર મહારાજાઓએ ઘણી જ ઝીણવટથી અનુપમ નિયમે કરેલા છે. શ્રાવકો પણ સાધુઓને જે ભિક્ષા આપે છે તે પોતાના આત્મય માટે, ઘણી જ બહુમાનતા પૂર્વક, ભક્તિભાવથી આપે છે. જ્યારે સાધુઓ પિતાના સાધુત્વને વિચાર કરીને માધુકરી વૃત્તિથી ભિક્ષા ગ્રહણ કરે છે, ભિક્ષા ગ્રહણ કરવાની સાધુઓની આવી રીતભાતથી જેનેરેમાં પણ તેની સુંદર છાપ પડવા સાથે તેઓ હર્ષિત થઈને ઘણું જ બહુમાનપૂર્વક પિતાની શક્તિ મુજબ ભિક્ષા આપતા હોવાના ઘણા જ દાખલાઓ અમારા અનુભવમાં આવેલા છે. આ પ્રમાણેને સાધુઓને ભિક્ષા ગ્રહણ કરવાને આચાર, તથા શ્રાવકેની પોતાના આત્મશ્રેય માટે ભિક્ષા આપવાની ભાવના જાણ્યા પછી આખી સમાજના નામે “કેવળ ત્યાગી મુમુક્ષુને પોષવા આજની સમાજ તૈયાર નથી.” એ પ્રમાણે તદ્દન બેલગામ તેમજ બીનપાયાદર હકીકત જાહેર કરીને પરમાનંદે પિતાના હદયની અવર્ણનીય કલુષીતતા દર્શાવવા સાથે સારીએ જેનસમાજ તેમજ જૈનેતર સમાજ ઉપર, અસહ્ય મનસવી આક્ષેપ બીનઅધિકારપણે કરી દેવાની બેહદ ધૃષ્ટતા સેવી છે એમ શું નથી સમજી શકાતું? અમારા સાધુ જીવનમાં આજ સુધી પરમાનંદ કહે છે તે મુજબ સાધુઓને ભિક્ષા આપવા પ્રત્યે સમાજની જરા પણ અરૂચિ હોય એમ અમને જણાયું નથી પરંતુ તેથી વિપરીત રીતે શ્રાવકે ઘણું જ ભક્તિભાવ પૂર્વક અતિશય બહુમાનતાથી સાધુઓને પિતાના આત્મશ્રેય માટે ભિક્ષા આપે છે એવો અમારો અનુભવ છે.
વળી આપણું સાંપ્રદાયિક સાધુ જીવન પણ કેટલાક વિચિત્ર ખ્યાલ ઉપર રચાયેલું છે. જૈન સાધુ વીસ વસા દયા પાળે, કેઈપણ પ્રકારના પરિગ્રહથી દૂર રહે, કેઈ સાધન સમારંભમાં પડે નહી, જે કઇ તેમની પાસે આવે તેને ઉપદેશ આપે કશો આદેશ કરે નહી, ભિક્ષા માગીને જ પોતાના જીવનને નિર્વાહ કરે, આમાંના કેટલાક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com