SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિદ્યાઓની પ્રાપ્તિ : ૨૧ : ઉપાર્જન કર્યું ! આ માછીમાર હવે જીવતાં સુધી જીવવા ભારે પાપ ઉપાર્જન કરશે, માટે હવે કોઈ એ ઉપાય કરું કે જેથી એ પોતે પાપ કરવાનું તજી દે. પછી તેમણે એ મચછીમારને કહ્યું કે “હે ભદ્ર! તેં જે પ્રયોગ જાણે તે કંઈ નથી. બીજે રત્ન પ્રયોગ છે, તે સાંભળ કે જેથી તારું દારિદ્રય દૂર થાય, પણ એ પ્રયોગ ત્યારે જ સિદ્ધ થાય છે કે જ્યારે જીવવધ અને માંસભક્ષણનો ત્યાગ કરવામાં આવે.” ત્યારે માછીમાર બોલ્યો કે “ જીવવાથી પાપ થાય છે, એ હું પણ સારી રીતે જાણું છું, પણ તે વિના કુટુંબનો નિર્વાહ અને નથી તેથી શું કરું ? હે નાથ ! હવે આપ કહે તેમ રત્નપ્રામા થી મારું દારિદ્રઘ દૂર થતું હોય તે હવે પછી હું જીવવધ કે માંસભક્ષણ કરીશ નહિં. પછી આચાર્યો તેને રત્નનો પ્રયોગ બતાવ્યું એટલે તે મછીમારે જીવહિંસા કરવાનું તથા માંસભક્ષણ કરવાનું છેડી દીધું, અને રત્નયોગથી પુષ્કળ ધન પામતે ચકો સુખી થયો. આ આચાર્યોના સંપર્કમાં રહેતા શ્રી પાદલિપ્તગુરુને પેનિપ્રાભૂતનું વિશદ જ્ઞાન પ્રાપ્ત થયું. એક વાર શ્રમણસિંહ નામના આચાર્ય ત્યાં આવ્યા કે જેઓ નિમિત્તવિધામાં અતિ નિપુણ હતા. શ્રી પાર્વસિસ ગુરુએ તેમની પાસેથી નિમિત્ત વિદ્યાનું જ્ઞાન કરી લીધું અને પ્રમપ્રકાશ નામે એક ગ્રંથની રચના કરી કે જે અદ્યાપિ વિદ્વાનોની પ્રશંસા પામે છે. અહીંચી લાદેશમાં વિચરતા પાદલિપ્તગુરુને ઉપાધ્યાય મળે મેળાપ થશે. તેઓ આર્યખપુરાચાર્યના શિષ્ય હતા અને સિધ્ધાભૂત વિધાના જાણકાર હતા. તેમણે જૈન શાસનની સુંદર સેવા બજાવી હતી. તે એ રીતે કે પાટલીપુત્રમાં દાહડ નામે રાજા હતા, જે જુદા જુદા દર્શનોના વ્યવહારનો લોપ કરીને પ્રમેંદ પામતું હતું. તેણે નગરમાં . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034987
Book TitlePadliptasuri ane Tarangvati
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherAnand Prakashan Mandir
Publication Year1951
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy