SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ તરંગવતી : ૧૨૩ : છું. ત્યાર પછી, તારાં ચિત્ર કરીને એને પાછલે ભવ જે યાદ આવે તેની સૌ કથા મને કહી બતાવી અને તે મને જે કહેલી એને રજેરજ મળતી આવી. બાગના તળાવ પાસે ફરતાં ચક્રવાકને જોઈને તને તારો પાછલે ભવ જે સાંભરી આવે તે કથા મેં પણ તેને વિગતવાર કહી સંભળાવી.' એણે કહ્યું: અરેરે. (તારી સખીનાં) ચિત્ર જોઈને ત્યાં ને ત્યાં જ મારા હૈયામાં (વિજેગના) દુઃખને કાંટે ઊંડે સુધી પેશી ગયે. જેટલો અમારે નેહ એકવાર ઝંડે હતું એટલે જ ઊંડો એ કાંટે પઠે. ઉત્સવ પૂરો થતાં જેમ વાવટો જમીન ઉપર પડી જાય તેમ ઘેર જઈને હું પથારી ઉપર પડયે; ચારે બાજુ મારા મિત્રે વિંટાઈ વન્યા ને એ જ સ્થિતિમાં બાકીની રાત મેં ગાળી. કિનારા ઉપર આવી પડેલી માછી જેમ તરફડે તેમ હું નેહ-દદે પીડા અને અસહાય નિરાશાએ હાંફતે પથારીમાં પડી રહ્યો. હું આકાશ સામે તાકી રહેતે, આંખને અણસારે ઉત્તર આપતે, વળી હસતે અને ગાતે અને વળી પાછે રેઈ પડતું. મારા મિત્રે મારું સ્નેહદર્દ પારખી ગયા અને એમણે શરમ છેડીને મારી માતાને વાત ઉઘાડી પાડી કહ્યું કે જો તમે તમારા (પુત્ર) પદ્યદેવને માટે નગરશેઠની દીકરી તરંશવતીનું માથું નહિ કરે તે એ મરી જશે. મારી માતાએ આ વાત મારા પિતાને કરી. તે તુરત જ નગરશેઠને ત્યાં ગયા પણ નગરશેઠે એમનું માગું તરછોડી કાઢયું. આથી મારાં માબાપે શાત કરવાને પાધરું મને કહ્યું: તું કહે તેની સાથે તેને પરણાવીએ. માત્ર એની વાત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034987
Book TitlePadliptasuri ane Tarangvati
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherAnand Prakashan Mandir
Publication Year1951
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy