________________
ધર્મબોધચંથમાળા આવે છે અને તેમાંથી ન ધાર્યો હોય તે ઉગ્ર કલહ જામી પડે છે. આજનાં વર્તમાનપત્ર એને જીવતે-જાગતે પૂરા છે.
અમુક નીતિને વરેલા વર્તમાનપત્રે બીજાનું દૃષ્ટિબિંદુ નિષ્પક્ષપાત રીતે રજૂ કરવાને બદલે તેને કઢંગી રીતે રજૂ કરે છે અને તેના પર આકરી ટીકાઓ કરે છે. આ ટીકાઓને પરિણામે ઉગ્ર ચર્ચાપત્રને જન્મ થાય છે અને સામસામા અગ્રલેખે લખાય છે તથા લાગતાવળગતા પક્ષોને ઉશ્કેરી દલબંધી કરવા પ્રયાસ પણ કરવામાં આવે છે. આ સમગ્ર પ્રવૃત્તિનું પરિણામ એ આવે છે કે-પક્ષભેદ કાયમના બને છે અને તેનાં એક પ્રબળ હથિયાર તરીકે વર્તમાનપત્રને મનગમતે તડકે પડે છે. પરંતુ આ જાતના પત્રકારિત્વથી દેશ કે સમાજને આયંદે ફાયદો ન થતાં મોટું નુકસાન જ થાય છે.
ભૂલવાળાની ભૂલ પણ જાહેરમાં પ્રકટ કરવી યોગ્ય નથી, ત્યારે વગર ભૂલવાળાને ભૂલવાળા ઠેરવવા અને તેમને જાહેર સમક્ષ ઉઘાડા પાડવા એ કેટલું ભયંકર ગણાય ? તેને વિચાર સુજ્ઞજનેએ કર ઘટે છે. એવા અસત્ય દોષારોપણેથી સામાને એટલું બધું દુઃખ થાય છે કે તે દુઃખના દબાણથી જ તે પાગલ બની જાય છે કે તેનું હૃદય કામ કરતું બંધ પડે છે. તેથી કેઈના પર આળ ચડાવવું કે કેઈ નિર્દોષને દોષિત ઠરાવવાનું પગલું ભરવું એ હરગીજ ઉચિત નથી.
કોઈને પણ દોષિત ઠરાવતાં પહેલાં કે દોષિત જાહેર કરતાં પહેલાં ઓછામાં ઓછા નીચેના પ્રશ્નો પોતાની જાતને પૂછવા ઘટે :
(૧) આ દેષ મેં નજરોનજર જોયે છે ખરે? નજરે નજર જોયેલી વાતમાં પણ ખાટાં અનુમાને થવાને સંભ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat