SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદમું : : ૪૯ : પાપને પ્રવાહ શાખ બરાબર જામે છે અને તેને લીધે જ તેઓ અઢળક ધન કમાય છે. માયાનું ત્રીજું ભયંકર પરિણામ એ છે કે તેને આચરનાર સમ્યક્ત્વને પામી શકતું નથી, કારણ કે સમ્યત્વનું મૂળ સત્ય વ્યવહાર છે. આ રહ્યા તેની પ્રતીતિ કરાવનારા શબ્દોઃ સમક્તિનું મૂળ જાણીએજી, સત્ય વચન સાક્ષાત; સાચામાં સમકિત વસે છે, માયામાં મિથ્યાત, રે પ્રાણુ! મ કરીશ માયા લગાર. ધર્માચરણમાં દંભને સ્થાન નથી. જે મનુષ્ય બાહ્ય આચરણ સારું દેખાડે છે, પણ અંદરથી સ્વાર્થ સાધવાની પૂરી તકેદારી રાખે છે, તેને બગલાભગત જ કહી શકાય. शनैरुद्धरते पादं, जीवानामनुकम्पया। પર રમા! આવાં, વા પરમધાર્મિવાદ III શ્રી રામચંદ્ર વનવાસ વખતે લક્ષમણ અને સીતા સાથે એક સ્થળેથી બીજા સ્થળે જઈ રહ્યા છે. વચમાં પંપા નામનું સવાર આવે છે. ત્યાં બગલાઓને ચૂપચાપ બેઠેલા તથા ધીમે ધીમે પગ ઉપાડતા જોઈને શ્રી રામચંદ્ર કહે છે “હે ભાઈ લક્ષમણ! તું આ પંપા સરોવર પર નજર નાખ. અહીં અનેક જાતનાં પક્ષીઓ નજરે પડે છે, પરંતુ તે બધામાં બગલે સહુથી વધારે ધાર્મિક જણાય છે, કારણ કે પિતાના પગ નીચે કોઈ જીવ ચગદાઈ ન જાય તે માટે એ ધીમે ધીમે પગ ઉપાડે છે!” કહેવાની જરૂર ભાગ્યે જ છે કે એ બગલો સહુથી વધારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034986
Book TitlePaapno Pravah
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherMukti Kamal Jain Mohan Granthmala
Publication Year1952
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy