SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ શ : પાપને પ્રવાહ પુત્ર, સ્ત્રી, સ્વામી અને નેકરની અતિ તર્જના કરવી નહિ, કારણ કે ગમે તેવું ઘટ્ટ હોવા છતાં ઘણું મથાયેલું દહીં પિતાને દેહ છોડી દે છે (છાશ થઇ જાય છે) અર્થાત્ અતિ તજનાનું પરિણામ બૂરું આવે છે. ક્રોધ કરવાને ટેવાયેલા મનુષ્યોએ પિતાની જાતને સુધારવા માટે એ વાત યાદ રાખવી ઘટે કેઃ पढम चिअ रोसभरे, जा बुद्धी होइ सा न कायवा। किंपाकफलाणमिव न सुन्दरो होइ तीह परिणामो ॥१॥ ક્રોધને ઉદય થતાં જે વિચારે પહેલા આવે છે, તે પ્રમાણે વર્તવું નહિ; કારણ કે કિપાક વૃક્ષનાં ફલોની જેમ તેનું પરિણામ સુંદર હોતું નથી અર્થાત્ કિંપાક વૃક્ષનાં ફલે ખાતી વખતે મધુર લાગે છે, પણ થોડા સમયમાં જ પ્રાણુને નાશ કરે છે, તેમ ક્રોધથી કરાયેલું કામ ઘેડીવાર મનને સુંદર લાગે છે પણ તેનું પરિણામ અત્યંત બૂરું આવે છે. કેધને જીતવાનું મુખ્ય સાધન ક્ષમા છે. કહ્યું છે કે: धमाखड्गः करे यस्य, दुर्जनः किं करिष्यति । अणे पतितो वहिः, स्वयमेवोपशाम्यति ॥१॥ જેના હાથમાં ક્ષમારૂપી તલવાર છે, તેને દુર્જન શું કરશે? ઘાસ વગરની જમીન પર પડેલે અગ્નિ પિતાની મેળે જ ઓલવાઈ જાય છે. સારાંશ કે-દુર્જન મનુષ્ય આપણુ પર કોધ કરે અને આપણે તેને કોધથી પ્રતિકાર કરીએ તે મામલે www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.034986
Book TitlePaapno Pravah
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherMukti Kamal Jain Mohan Granthmala
Publication Year1952
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy