________________
ધમબોધ-ચથમાળા : ૧૨ :
प्रस्तुतं हेतुसंयुक्तं, शुद्धं साधुजनप्रियम् । यो वक्तुं नैव जानाति, स जिह्वा किं न रक्षति ? ॥१॥
જે પુરુષ વિષયને અનુરૂપ, હેતુ સહિત, શુદ્ધ અને મહાત્માઓને પ્રિય લાગે તેવું બેલવાનું જાણતું નથી, તે પિતાની જીભને કાબૂમાં કેમ રાખતું નથી ? અર્થાત એવા પુરુષોએ મૌન સેવવું એ જ ઉચિત છે.
આ વિષયમાં નીતિકારોનાં વચને પણ ધ્યાનમાં લેવા જેવાં છે. આ રહ્યાં તે વચને
स्त्रजिह्वा नो वशे यस्य, जल्पने भोजने तथा । स भवेद्दुःखितो नित्यमात्मनो दुष्टचेष्टितैः ॥ १॥
બોલવામાં તથા ખાવામાં જેની જીભ વશ નથી, તે પિતાનાં એ દુષ્ટ ચેણિતવડે નિત્ય દુઃખી થાય છે.
रे जिवे ! कटुकस्नेहे !, मधुरं किं न भाषसे ?।। मधुरं वद कल्याणि !, लोको हि मधुरप्रियः ॥ १॥
કટુતા પ્રત્યે પ્રેમ ધરાવનારી હે જીભ ! તું મધુર કેમ ઓલતી નથી? હે કલ્યાણી! તું મધુર બોલ, કારણ કે લોકોને મધુર વાણું જ પ્રિય લાગે છે.
प्रियवाक्यप्रदानेन, सर्वे तुष्यन्ति जन्तवः । तस्मात्तदेव कर्त्तव्यं, वचने किं दरिद्रता ? ॥१॥
સર્વે પ્રાણીઓ પ્રિય વાણવ્યવહારથી પ્રસન્ન થાય છે, તેથી તે જ વ્યવહાર કરવો, વચનામાં દરિદ્રતા શા માટે રાખવી?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com