SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ , , , એલ ચાશે ૩૩ - - કોઈની આજીવિકા તેડવી તે પાપ ઓછું આપવું, વધારે લેવું તે પાપ. હદ ઉપરાંત વ્યાજ લેવું તે પાપ. કેઈની થાપણ ઓળવવી-પચાવી પાડવી તે પાપ. વિશ્વાસઘાત કરવો તે પાપ. ચા, બીડી, ભાંગ, દારૂ, માંસ વિગેરે નકામાં વ્યસને સેવવાં તે પાપ. શિકાર કરવો તે પાપ. પાપનાં કામોમાં ઉત્તેજન આપવું કે તેવાં કામોની પ્રશંસા કરવી તે પાપ. હાંસી મશ્કરી કરવી કે કોઈને ખીજવવું તે પાપ. ગાળ-ભાંડવી અપશબ્દ બોલવા તે પાપ. ગરીબોની આંતરડી દુભવવી કે તેમને બનતી મદદ ન કરવી તે પાપ. મરતાં કે દુ:ખથી રીબાતાં કોઈ પણ પ્રાણી-જીવને દયા લાવી બચાવવાં નહિ કે દુ:ખથી ન મૂકાવવાં તે પાપ. બકરા પાડા કે વાછરડા પ્રમુખ પ્રાણિઓને દૂધ પૂરું કે તન ન આપવુંસ્વાર્થવશ તેમનાં તરફ બેદરકારી રાખી તેમનાં નીસાસા લેવા તે પાપ. નાટકસીનેમા જેવાં, રમતગમત કરવી કે મોજશોખ કરવા તે પાપ. જુગાર રમવો તે પાપ. આમ પાપની વ્યાખ્યા સમજી તે તે પાપથી વેગળા રહેવા કોશિષ કરવી. પાપર્મ કરનાર નિંદાને પાત્ર બને છે. સુખી થવાની ઈચ્છાવાળા મનુષ્ય બીજ પ્રાણીને દુ:ખ ન આપવું. દુ:ખ આપવાથી દુઃખ અને સુખ આપવાથી સુખ મળશે. પિતાનું ભલું ઈચ્છનારે બીજનું ભલું કરવું. આપને ઈ ગાળ આપે તે ન ગમે તો આપણે બીજને ગાળ આપીએ તે તેને કેમ ગમે? આપણને કે મારે તો તે ન ગમે તો આપણે બીજાને મારીએ તે તેને કેમ ગમે? બીજની આજીવિક્ષ તોડનારે પ્રથમ પોતાની કોઈ આકવિ તોડે તો પોતાને કેવું લાગે? તેનો વિચાર કરવો જોઈએ. અર્થાત આપણને જે બાબત ન ગમે તેવું વર્તન આપણે બીજ તરફ ન કરવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034983
Book TitleNiti Marganusarina 35 Bol athwa Mansai Etle Shu
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni
PublisherJain Siddhant Sabha
Publication Year1951
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy