________________
આ ટીકામાં અંગપ્રવિષ્ટ અને અંગબાવકૃતના ભાષ્યકારે કરેલ વિવેકના સ્પષ્ટીકરણ ઉપરાન્ત ત્રણે વ્યાખ્યાઓનાં જુદાં જુદાં ત્રણ ઉદાહરણ છે, જે ખાસ ધ્યાન ખેંચે છે.
(ક) પહેલી વ્યાખ્યામાં અંગપ્રવિષ્ટને શ્રી ગૌતમ આદિ ગણું ધરત તરીકે ઓળખાવીને તેના ઉદાહરણ તરીકે દ્વાદશાંગશ્રુતને મૂક્યું છે, અને અંગબાથને શ્રી ભદ્રબાહુ આદિ સ્થવિરકત તરીકે ઓળખાવી તેના ઉદાહરણ રૂપે આવશ્યકનિર્યુંકિત વગેરે તે દર્શાવ્યું છે.
(૩) બીજી વ્યાખ્યામાં ગણધરના પ્રશ્નના ઉત્તરમાં તીર્થંકરદ્વારા ઉપદેશાયેલ ત્રિપદી ઉપરથી રચાયેલ શ્રતને અંગપ્રવિષ્ટ તરીકે ઓળખાવી તેનું ઉદાહરણ આપતાં એ મૃત તે દ્વાદશાંગી રૂપ જ છે એવે ખાસ ભાર મૂકી માલધારીશ્રીએ માત્ર દ્વાદશાંગીને જ અંગપ્રવિષ્ટ કહ્યું છે અને છૂટું છવાયું તેમ જ પ્રશ્ન વિના જે અર્થપ્રતિપાદન થયું હોય તેના ઉપરથી રચાયેલ શ્રતને અંગબાહ્ય તરીકે ઓળખાવી તેના ઉદાહરણમાં આવશ્યક આદિ શ્રત અંગબાહ્ય છે એમ કહેવામાં આવ્યું છે.
(૪) ત્રીજી વ્યાખ્યામાં દરેક તીર્થમાં અવશ્યભાવી તરીકે - તાવીને જ અંગપ્રવિષ્ટ શ્રત કહેવામાં આવ્યું છે અને દરેક તીર્થમાં નિયમથી ન લેનાર શ્રતને અંગબાહ્ય તરીકે ઓળખાવી તેના ઉદાહણમાં તદુલવૈકાલિક આદિને મૂક્યું છે.
પહેલી વ્યાખ્યાના ઉદાહરણમાં શ્રી ભદ્રબાહુસ્વામિ આદિ અને આવશ્યકનિર્યુકિત આદિ એ બે પદો ખાસ ધ્યાન ખેંચે છે, ત્યાં સુધી સંપૂર્ણ આવશ્યકત્ર શ્રી ભવબાહુસ્વામિકૃત છે એ મતલબનું સાધક પ્રમાણ ન મળે ત્યાંસુધી આવશ્યકનિર્યુક્તિ એ સામાસિકપદને દન્દ સમાસને બદલે સામા પક્ષને અનુકુલ એ તપુરૂષ સમાસ જ તે જોઈએ; અને એ સમાસ લેતાં તેનો અર્થ એટલો જ થાય કે આવશ્યકનિક્તિ વગેરે જે શ્રુત શ્રી ભદ્રબાહુ સ્વામિ વગેરેનું બા
( ૫ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com