SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન મુકામે શ્રાવકસંઘના હાથે પૂ. સ્વર્ગસ્થ આત્મારામજી મ.શ્રીની પાટે પૂ. મુનિશ્રી કમલવિ.ને પટ્ટધર આચાર્ય તરીકે અને પૂ. મુનિશ્રી વીરવિ. મ.ને ઉપાધ્યાય બનાવવા પડેલ! ઉ. શ્રી વીરવિ. મ. તથા મુનિશ્રી દાનવિજયજી પૂ. ઉપાધ્યાય શ્રી વીરવિ. મ, ગેઘા પાસેના બાડી'ના વતની અને જ્ઞાતે ભાવસાર હતા. તેઓશ્રી, સં. ૧૯૩૫ માં પંજાબના અંબાલા ગામે દીક્ષા લઈ પૂ. મુનિશ્રી આત્મારામજી મ.શ્રીના શિષ્ય બન્યા હતા. પૂ. આત્મારામજી મ.શ્રીને વિશેષ મુનિસમુદાય મૂલ સ્થાનકવાસી પંજાબી સાધુઓને અને આ પૂ. ઉપાધ્યાયજી મ. એકલા જ કાઠિયાવાડી, ભદ્રપરિણમી અને અ૯પ-વ્યવહાર કુશલ સાધુ એટલે સુમેળ ઓછો અને અલ્પમેળ; તે પણ કચવાટ ભર્યો. આ સ્થિતિમાં તેઓશ્રીને પૂ. ગીતાર્થ– પ્રવર મુનિશ્રી ઝવેરસાગરજી મતેઓશ્રીનું મુખ્ય વિશ્રાંતિ સ્થાન લેખાતું. તેઓશ્રીએ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રાદિનું વાંચન તેઓ પાસે કરેલ. બોધ તથા વકતૃત્વશક્તિ પ્રમાણમાં ઠીક ઠીક લેખાતા. સં. ૧૯૪૬માં તેઓશ્રીને “ઝીંઝુવાડા ગામના એક જદાર=પોલીસ પટેલને સમાગમ થયે. તે ભાઈ જાતે જેન અને ભદ્રિક પરિણમી ભાસ્યા; પરંતુ સ્વભાવેય ફેજદાર જણાવાથી ૫. ઉપાધ્યાયજી મહારાજે એની સાથે સંભાળીને એટલે કેતેનું સ્થાન–કડકાઈ અને ખુમારી વગેરે ધ્યાનમાં રાખીને એમને રચતી રીતે ધાર્મિક વાત કરવાનું રાખેલ. પરિણામે જતે દહાડે તેમને પૂ. ઉપાધ્યાયજી પ્રતિ આદર પ્રગટેલ અને કમે તે ફોજ. દારભાઈ ગેળા મુકામે જઈ પૂ. ઉ. મા.શ્રીના શિષ્ય મુનિ દાનShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034976
Book TitleNava Matina Vivek Darshannu Pradarshan
Original Sutra AuthorN/A
AuthorHansasagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1967
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy