SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ આઠમુ શકુનિકાવિહાર અનુકૂળ વાયુવેગથી વહાણા સડસડાટ કરતાં શીઘ્ર ગતિએ ભરુચ અંદરના બારામાં દાખલ થઇ ગયા. ચંદ્રને જોઈને જેમ સાગર ઉછાળા મારે તેમ ભરુચ નજરે પડતાં સુદર્શનાના આનંદ-સાગર ઊછળવા લાગ્યા. દૂરથી વહાણાના માટે કાલા નજરે પડતાં બંદરરક્ષકાએ રાજાને ખાતમી આપી અને રાજવી જિતશત્રુએ પણ દુશ્મનના આગમનની આશકાથી તેના પ્રતીકાર માટે ભેરી વગડાવી. જોત-જોતામાં તે રાજવીનુ વિપુલ સૈન્ય સમુદ્રના કિનારે એકત્ર થઈ ગયું. સુદર્શનાએ આ દૃશ્ય જોઈ કઈ પણુ અનથકારક પ્રસ`ગ અને તે પૂર્વે સત્ય વસ્તુસ્થિતિથી રાજવીને માહિતગાર કરવા નાની હાડીદ્વારા ઋષભદત્તને મેકલી આપ્યા. તેને નજરે નીહાળતાં જ જિતશત્રુ રાજવીએ તેને ભાવભીનું સન્માન આપ્યુ અને તેની સાથે વિશેષ વાર્તાલાપ થાય તે પૂર્વે તે બાકી રહેલા વહાણા પણ ભરુચના વિશાળ કાંઠા પર આવી લાંગર્યો. સુદના સ``ધી એળખાણ આપતાં ઋષભદત્ત સાથ'વાહે ચંદ્રગુપ્ત રાજાની ભલામણુ અને સવિસ્તર વૃત્તાંત કહી સંભળાવ્યેા. સુદર્શનાના ચમત્કારિક જીવનથી વિસ્મય પામેલા જિતશત્રુ રાજાએ અપૂર્વ પ્રેમભાવથી તેના સત્કાર કર્યો અને તેમના પ્રત્યે અતીવ રંજિત થઈ સૂર્યાસ્ત સુધીમાં એક બાજુ એક અશ્વ અને ખીજી બાજુ એક હાથી ઢાડીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034970
Book TitleMunisuvrat Swami Charitra Sachitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1942
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy