________________
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર કબજામાં લેવા પ્રયાસ આદર્યો. બૌદ્ધોનું આ સમયે ગુજરાતમાં પ્રાબલ્ય જામતું આવતું હતું, છતાં આર્ય ખપૂટાચાર્યે તેમની સામે હામ ભીડી. તેમના વિદ્વાન ને વાદકુશળ શિષ્ય ભુવને બૌદ્ધો સાથે વાદ કર્યો તેમાં બૌદ્ધોને પરાજય થયો. આર્ય ખપુટાચા બૌદ્ધભિક્ષુ બહુવૃદ્ધ) કરને વાદમાં પરાજિત કર્યો. આ સમયે એટલે વી. સં. ૪૮૪ માં (ઈ. સ. પૂર્વેના પહેલા સંકામાં) ભરુચમાં બલમિત્ર અને ભાનુમિત્રનામની બંધુબેલડીને શાસનકાળ હતું. તેમના રાજ્યકાળમાં આર્ય ખપૂટાચાર્યે પુનઃ આ તીર્થ જેના કબજામાં લીધું. ત્યારબાદ પ્રભાવિક આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકરસૂરિના ઉપદેશથી મહારાજા વીર વિક્રમાદિત્યે આ પ્રાચીન તીર્થને જીર્ણોદ્ધાર કરાવ્યો. પ્રભાવિક આચાર્ય પાદલિપ્તસૂરિએ આ મંદિરના વજદંડની પ્રતિષ્ઠા કરાવેલી.
બાદ કાળયોગે દાવાનળ પ્રગટ્યો અને તેની ઉગ્ર વાળાના ઝપાટામાં આ મંદિર પણ આવી જવાથી ભસ્મીભૂત બન્યું. આ સમયે આચાર્ય શ્રી વિજયસિંહસૂરિ આ બાજુ વિચરી રહ્યા હતા. તેઓ ભરુચ આવ્યા અને શહેરના બ્રાહ્મણે પાસેથી દ્રવ્ય સંપાદન કરી આ જ સ્થળે વિશાળ વિહાર બંધાવ્યું, પરંતુ તે કાષ્ઠને બનાવેલ હોવાથી અગ્નિના ઉપદ્રવને હંમેશાં ભય રહ્યા કરતો એટલે છેવટે બડ મંત્રીએ વિપુલ દ્રવ્ય-વ્યય કરી તે વિહાર પથ્થરને બંધાવ્યો.
આંબડે આ શકુનિકા વિહારને જીદ્ધાર કરાવ્યો તે સંબંધે પ્રબન્યતામણિમાં આવેલ કુમારપાળ પ્રબન્ધમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com