SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ રાજકુમારી સુર્દીના ૫૫ ( ચાલ્યે! ગયા હતા, ખરે ખર સ્ત્રીએ જન્મથી આરભી મરણુ પન્ત પરાધીન જ હાય છે. કેવી રીતે ભક્ષ્ય લાવવું અને કયાંથી લાવવુ' ? તે સંબંધે સમળી વિચાર કરે છે તેવામાં તા પ્રચંડ વ’ટાળીઓ પ્રગટયા. સમગ્ર દિશાએ ધૂળથી પૂરાઈ ગઇ અને નિમેષ માત્રમાં જ આકાશ મેઘમાળાથી વ્યાપ્ત થઈ ગયું. વિજળીના ચમકાર થવા લાગ્યા અને ઐરાવણ હસ્તીના નાદને જાણે પડઘા પાડતા હાય તેમ મેઘ ગજા રવ કરવા લાગ્યા. જોતજોતામાં મુશળધાર વૃષ્ટિ શરૂ થઈ ગઈ અને સમળીની આહારની ઇચ્છા મનમાં ને મનમાં જ સમાઇ ગઇ. · આજ વૃષ્ટિ ધ થશે, કાલ મધ થશે’–એમ વિચાર કરતાં કરતાં સાત દિવસા ય્તીત થઇ ગયા. મહાકષ્ટ સમળીએ સાત દિવસા પસાર કર્યાં. એક દિવસની ક્ષુધા સહન ન થાય ત્યાં સાત દિવસની તા વાત જ શી કરવી ? અને તેમાં પણ પ્રસૂતિ પછીની ક્ષુધાની પીડા તે અસહ્ય હાય છે, પરન્તુ પરાધીન સ્થિતિમાં અને તેમાં પણ તિય ચપણામાં પ્રાણી શું કરી શકે ? આવી રીતે દુઃખમય સાત દિવસેા પસાર કર્યા તેવામાં ભાગ્યયેાગે વૃષ્ટિ બંધ થઇ અને આકાશ સ્વચ્છ બની ગયુ. ત્યારે સમળીએ ભક્ષણાર્થે આહાર લેવા જવાની તૈયારી કરી, પશુ અશક્ત શરીર હજી આનાકાની કરતું હતું. તેના મદદગાર સ્વામી પણ અન્યત્ર ચાલ્યા ગયા હતા. છેવટ સમગ્ર ખળ એકઠું કરીને તે સમળી ગામના મ્લેચ્છ પાડા તરફ, જ્યાં માંસ અને લીલા હાડકાં પડયા રહેતાં ત્યાં, ઊડીને ગઈ. સ્વેચ્છનાં પાડામાં સમળી ગઈ તે ખરી પરન્તુ ત્યાં www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.034969
Book TitleMunisuvrat Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1951
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy