SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર પ્રાણીઓ આર્તધ્યાનના કારણે તિર્યંચ નિમાં ઉત્પન્ન થાય છે જ્યારે રૌદ્રધ્યાનના પ્રસંગથી નરકની મહાયાતનાઓ વેઠવી પડે છે. ધર્મધ્યાનવડે પ્રાણીઓ દેવલોકમાં જાય છે અને શુકલધ્યાનના આલંબનથી શિવગતિ-મેક્ષ પ્રાપ્ત કરે છે. વિદ્યાધરી વિજયા પણ આધ્યાનની ધારાએ આરૂઢ થઈ ગઈ અને ત્યારપછી અલ્પ સમયમાં જ મૃત્યુ પામતાં ભરૂચ નગરના કરંટ નામના વિશાળ ઉદ્યાનમાં ગાઢ અને વિસ્તૃત છાયાવાળા વડવૃક્ષ પર સમળીપણે ઉત્પન્ન થઈ. આર્તધ્યાન માત્રના પ્રસંગથી જીવ કેટલું હારી જાય છે તે માટે વિજયાને દાખલ ખરેખર વિચારણીય છે. વિશાળ વટવૃક્ષ અસંખ્ય પંખીગણનું આશ્રયસ્થાન હતું. દિવસભર પૃથ્વી પર પરિભ્રમણ કરી, ચારો ચરી, પંખીસમૂહ સંધ્યા સમયે પાછા પિતાને આશ્રયસ્થાને આવી જતે અને પિતાના વહાલા બચ્ચાઓને ગેદમાં લઈ રાત્રિ વ્યતીત કરતે. પ્રાતઃકાળને સમય થતાં જ વિધવિધ કલરવથી વિશાળ વટવૃક્ષ ગાજી ઊઠતું. આ વટવૃક્ષની વિશાળ ને દીર્ઘ શાખામાં સમળીએ પિતાને માળો બાંધ્યું હતું. તે પણ અન્ય પંખીઓની માફક પિતાનું ભક્ષ્ય લાવી પિતાની ઉદરપૂતિ કરતી. આ પ્રમાણે કેટલાક સમય પસાર થયો તેવામાં તે ગર્ભિણી બની. ચોગ્ય સમય આવતાં તેને પ્રસૂતિની પીડા થવા લાગી. દુસહા પીડા સહન કર્યા બાદ તેણે બે બચ્ચાને જન્મ આપે. પ્રસૂતિની પીડા દૂર થઈ કે ઉદરપૂર્તિને પ્રશ્ન સામે આવીને ખડે થઈ ગયો. તેનો પતિ તેના પ્રત્યે બેદરકાર બનીને કયાંય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034969
Book TitleMunisuvrat Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1951
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy